________________
અહીં પ્રશ્ન થાય કે આમ કેમ? પેલા સંયમીને તો સંયમ જૈન શાસનનું છે, સર્વ પાપ ત્યાગ યાને સર્વવિરતિના ઘરનું છે, પંચ મહાવ્રતના સ્વીકારવાળું છે, જ્યારે સંન્યાસીને તો મિથ્યાષ્ટિ અસર્વજ્ઞના મતની દીક્ષા છે, સંન્યાસ છે. તો ફળમાં આને અધિકતા અને પેલા વિરાધિત સંયમવાળાને ન્યુનતા કેમ?
અલબત્ત, સંયમમાં વિરાધના યાને સંયમમાં સ્કૂલના પહોંચાડે છે તેમાં કદાચ સમ્યકત્વનો પણ નાશ કરી નાંખે એવા અનંતાનુબંધીરાગ-દ્વેષ ઊઠતાં હોય, ને મિથ્યાત્વ ઉદયમાં આવતું હોય, તેથી તો
એવો જીવ ભવનપતિ કે જ્યોતિષ દેવલોકમાં પણ જાય. કિન્તુ સમ્યકત્વની હાજરી હોય તો તો વૈમાનિક દેવલોકથી નીચેનું આયુષ્ય બાંધે જ નહિ, ત્યારે આ તો નીચે જાય છે. એ સૂચવે છે કે સમકિત નષ્ટ થયું અને મિથ્યાત્વ ઉદયમાં આવ્યું. છતાં પેલો સંન્યાસી ક્યાં સમ્યકત્વમાં છે ? એને ય મિથ્યાત્વનો ઉદય છે. ઉપરાંત દીક્ષા મિથ્યાશાસ્ત્ર કહેલી છે, ત્યારે સંયમીને સર્વજ્ઞના શાસ્ત્ર મુજબની પંચમહાવ્રતના સ્વીકારવાની છે, તો પછી ફળ ઓછું કેમ ?
આના ઉત્તરમાં એમ કહી શકાય કે સંયમીને ભલે સૂક્ષ્મરૂપે ત્રિવિધેત્રિવિધે હિંસાદિત્યાગરૂપ મહાપ્રતિજ્ઞા હોય અને સંન્યાસીને તો સ્થૂલરૂપે વ્રતસ્વીકાર હોય, છતાં સંયમી એ પ્રતિજ્ઞાનો ભંગ કરે છે, - એટલે કે વ્રતની વફાદારી ગુમાવે છે, ત્યારે સંન્યાસી ગુમાવે છે, ત્યારે સંન્યાસી લીધેલ વ્રતને બરાબર વફાદાર રહે છે, તેથી નીચો દેવલોક અને સંન્યાસીને ઊંચુ ફળ, ઊંચો દેવલોક મળે એ સહજ છે.
વ્રતપ્રતિજ્ઞાને અખંડ અણિશુદ્ધ પાળ્યાનો આ મહિમા છે કે અભવી જેવા પણ જીવ સમ્યકત્વ નહીં હોવા છતાં જો જિનશાસનની સાધુદીક્ષા લઇ ત્રિવિધે-ત્રિવિધ સ્વીકૃત પંચમહાવ્રત બરાબર પાળે છે, તો ઠેઠ ૧૨ દેવલોકની ઉપર રૈવેયક સ્વર્ગ સુધી જાય છે. જ્યારે સંન્યાસી મિથ્યાશાસ્ત્રોક્ત-સંન્યાસ લઇ એના કહેલાં સ્વીકૃત વ્રતને બરાબર પાળે છે, તો માત્ર પાંચમાં દેવલોક સુધી જ જાય છે. આ ફરકનું કારણ એ છે કે જૈન સાધુ દીક્ષામાં “હું મનથી,
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org