________________
સિંપાદકીય
તરણીત પ.પૂ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞા-આશીર્વાદપૂર્વક વિ.સં. ૨૦૬૧નું ચાતુર્માસ ૐ શ્રીદાદર આરાધના ભવન-મુંબઇ (દાદર-પશ્ચિમ) જતાં પૂર્વે પૂછયું, વ્યાખ્યાનમાં કયા ગ્રંથનું વાંચન કરવું? પૂ. ગચ્છાધિપતિશ્રી એ અધ્યાત્મપ્રિય-પરિણત સંઘમાં “શ્રી સંવેગ રંગશાળા'' ગ્રંથ પરપ્રવચન આપવા જણાવ્યું. અપરિચિત ગ્રંથ હોવાને કારણે તેના વિષયોની પૃચ્છા કરી..ગ્રંથ મેળવીને વાંચન શરૂ કર્યુ. વાંચતા વાંચતા અપૂર્વ આનંદની અનુભૂતિ થઇ. - સાધિક નવસો વર્ષ પૂર્વે લખાયેલા આ ગ્રંથના રચયિતા પૂ.આ.ભ. શ્રી જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. જેઓ નવાંગીટીકાકાર પરમગીતાર્થ પૂ.આ.ભ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાના વડીલ ગુરુબંધુનું સૌભાગ્ય પામ્યા હતા. સકલ શ્રી સંઘને આરાધનાનું સુંદર માર્ગદર્શન મળે એ શુભાશયથી જ પોતાના લઘુ ગુરુબંધુની થયેલી પ્રેરણા અને પ્રાર્થનાથી આ વિશાળ ગ્રંથરત્નની તેઓશ્રીએ રચના કરી છે. ભાવપૂર્વક એકાગ્રચિત્તે આ ગ્રંથનું વાંચન-શ્રવણ કરવાથી ગમે તેવા કઠીન- અપરિણત હૃદયમાં પણ સંવેગરસની સેર ફૂટ્યા વિના ન રહે.
ગ્રંથકારે “ધર્મના અધિકારી” આદિ વિષયોની વિસ્તૃત છણાવટ કરીને મહસેન રાજાનું વૈરાગ્ય પ્રેરક જીવન ચરિત્ર..વીર પ્રભુના હસ્તે દીક્ષા...દીક્ષા પાલનમાં વિશિષ્ટ વર્ષોલ્લાસ.વરનિર્વાણ બાદ મહસેન મુનિ દ્વારા વિશિષ્ટ આરાધના માટે ગૌતમસ્વામીને પૃચ્છા-પ્રાર્થના..ઇત્યાદિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org