________________
| શ્રી ભગવતીજી સૂત્ર વિવેચન આવું જ થતું હતું ને? આવા અનાડી પ્રપંચી માણસો શું સમજતા હશે? આ જ કે જાણે “સામા પાસે કોઈ અદ્રશ્ય પુણ્ય સત્તા જ નથી, તેથી મારા પાસા પોબાર પડશે.”
પરંતુ એમ જો જગતમાં અનાડીઓનું ધાર્યું થતું હોત તો આ જગતમાં સજનોને ઊભવા જગા જ ન રહેત.
આ પરથી સમજી રાખવા જેવું કે ક્યારેક કોઈક અનાડી ધમકી આપતો હોય તો ત્યાં ગભરાવવાની ને આર્તધ્યાન કે દ્વેષના સંકલેશ કરવાની જરૂર નહિ. આપણને અરિહંતનો અચિંત્ય પ્રભાવ અને આપણું પુણ્ય બચાવનાર છે. તેથી જ આજ સુધી સુખે સમાધે જીવંત રહી શક્યા છીએ, આ પક્કી શ્રદ્ધા રાખવાની, નરસિંહના પૂર્વભવે દેવાધિદેવના બહુ ભારપૂર્વક કરેલાં દર્શનથી ઊભાં થયેલ પુણ્ય, જુઓ, કેવી ગેબી સહાય કરે છે! રાજાએ માણસ સાથે ચિઢિમાં પોતાના પુત્ર ઉપર લખી મોકલ્યું કે “નરસિંહને તરત જ વિષ આપી દેજે.'
છોકરાને ખૂબ આજ્ઞાંકિત માને છે એટલે નિરાંતનો દમ ખેંચે છે કે “કુમારને નરસિંહ સાથે ગમે તેટલો પ્રેમસંબંધ હોય, પણ આ ચિઠ્ઠિ એને પહોંચે કે હાશ! તરત એ નરસિંહને ઝેર આપી દેવાનો.”
રાજકુમારની આજ્ઞાંકિતતા એવી હતી એ વાત સાચી, ને એમાં નરસિંહના બચાવની આશા ઓછી, પરંતુ નરસિંહનું પુણ્ય કેટલું જબરદસ્ત કામ કરે છે એ જુઓ,
નરસિંહના પુણે યક્ષની દરમિયાનગીરીઃ
ચિઠ્ઠિ લઈને જનારો માણસ રસ્તામાં રાત પડી તેથી રાત વીસામા માટે સ્થાન શોધે છે. એમાં નરસિંહના પુણ્યથી સહજ રીતે પાસમાં પેલા નરસિહયક્ષનું મંદિર દેખ્યું, તેથી એ ત્યાં જઈ સૂઈ ગયો. યક્ષને નરસિંહનું પુણ્ય કેવુંક પ્રેરે છે કે એ જ વખતે યક્ષને મંદિરમાં શું ચાલે છે એ જોવા તરફ ખ્યાલ ગયો. અવધિજ્ઞાનથી યક્ષ જુએ છે તો રાજાનો માણસ ચિઠ્ઠિ સાથે દેખાયો, ને ચિઠ્ઠિમાં પોતાના પુત્ર જેવા નરસિંહકુમારને વિષ આપવાનું લખેલું જોવા મળ્યું.
યક્ષ ચોંકી ઊઠ્યો, “રાજાની આ દુષ્ટ બુદ્ધિ? તો હવે રાજાને એની બરાબર સજા કરું” એમ વિચારી ચિઢિમાં ‘વિષ' શબ્દમાં કાનો ઉમેરી “વિષા' કર્યું, અને ચિઢિ પેક પાછી ઊંઘતા માણસના કબજામાં મૂકી દીધી.
પ્રબળ પુણ્ય ન ધારેલી કન્યા મળી.
જુઓ અહીં યક્ષે આમ કેમ કર્યું ? યક્ષ જુએ છે કે “રાજાની કન્યાનું નામ ‘વિષા છે, જે એના ભાઈ સાથે યુદ્ધ જોવા ગઈ છે તો ભલે સોભાગી નરસિંહને આ કન્યા એનો ભાઈ વરાવી દે” બસ, માણસે પ્રભાતે જાગીને ચાલતી પકડી, પહોંચ્યો રાજકુમાર પાસે. એને ખાનગીમાં લઈ જઈ રાજાની ચિઢિ-કવર આપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org