SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ હોય. 'નિષેક’ એટલે અબાધાકાળઉપર સમય-રામય અધિક-અધિક સ્થિતિવાળા કમંદળની રચના. દા. ત. વર્તમાન સમયે ૧ કોડાકોડી સાગરોપમની સ્થિતિનું કર્મ અર્થાત્ કર્મદળનું જૂથ બાંધ્યું; તો અત્યારથી માંડી ૧૦૦ વર્ષનો અબાધાકાળ; એટલા કાળની સ્થિતિનું કોઈ દળ નહિ. પછી નિષેક, તેથી એ કર્મજથ્થાના અમુક દળનો સર્વજઘન્ય ૧૦૦ વર્ષ + ૧ સમય જેટલો સ્થિતિકાળ, બીજાનો ૧૦૦ વર્ષ + ર સમય, ત્રીજાદળનો ૧૦૦ વર્ષ+૩ સમય. યાવત્ છેવટે બાકી દળનો ૧ કોડા કોડી સાગરોપમ વર્ષપ્રમાણ સ્થિતિકાળ. ૧૦૦ વર્ષ ૧ સમયથી માંડી અહી સુધીની સ્થિતિના દળોનો ક્રમ તેનું નામ નિષેક. બસ સામાન્ય સંયોગમાં ૧૦૦ વર્ષ વીત્યા પછી સમયે સમયે ક્રમસર તે તે દળની સ્થિતિ પાકવાથી તેનો તેનો ઉદય થયા કરે; પરંતુ આવો સંયોગ ઓછો રહે છે, કેમ કે બંધ કર્યાનો આવલિકાકાળ વીત્યે આત્માના વિચિત્ર અધ્યવસાયાદિદ્વારા એ કર્મપર અનેક કરણો લાગે છે. કર્મો ઉપર લાગતાં કરણો જેવી રીતે રાસાયણિક કારખાનામાં કાચા માલનું સંશોધન થયા પછી એના પર રસાયણોના યોગની અનેક જાતની પ્રક્રિયાઓથી જુદાં જુદાં કાર્ય બને છે, એમ કાર્મણવર્ગણામાંથી તૈયાર થયેલ કર્મ ઉપર સંક્રમણ, ઉદ્વર્તના, અપવર્તના, ઉદીરણા, ઉપશમના, નિધત્તિ અને નિકાચના, એ કરણો લાગવાથી વિચિત્ર પરિણામ નીપજે છે; અને પછી તે રીતે ઉદયમાં આવે છે. એટલે બાંધેલ સ્થિતિ, રસ, યાવત્ પ્રકૃતિ પણ કેટલાંય દળની ફેરફાર થઈ જાય છે. આમાં, સંક્રમણથી કેટલાંક કર્મ નવા બંધાતા પોતાના વિરોધી યા સમોવડિયા જાતભાઈ (દા.ત. અશાતા-શાતા) માં જઈ ભળે છે. તો ઉદ્વર્તના-અપવર્તનાથી કેટલાકના સ્થિતિ-રસમાં વૃદ્ધિનહાનિ થાય છે. ત્યારે ઉદીરણાથી કેટલાક વહેલા ખેચાઈ ઉદયમાં આવે છે; વળી ઉપશમનાથી કેટલાક ઉદય-ઉદીરણાનિધત્તિ-નિકાચનાને અયોગ્ય કરાય છે. નિધત્તિથી કેટલાક કર્મને ઉવર્તના-અપવર્તના સિવાયના કરણને અયોગ્ય અને નિકાચનાથી કેટલાકને સર્વકરણને અયોગ્ય કરવામાં આવે છે. પ્રતિસમય આવા કરણોનું કામ ચાલુ છે. આત્માના શુભ-અશુભ તીવ્ર-મન્દ અધ્યવસાયની એનાપર અસર છે. શુભ કે અશુભ અધ્યવસાય જેવો બળવાન હોય છે, તેવી પૂર્વબદ્ધ કર્મો ઉપર પોતાની અસર એ પાળે જાય છે. આ ખાસ ધ્યાનમાં રહે કે આ અધ્યવસાય ઉપરેય વાણી-વર્તન-વિચારસરણીની મોટી અસર છે. માટે એ વાણી વગેરેને નિર્મળ ને ગુણસંપન્ન રાખવા. બદ્ધવત્ સ્થિત કે કરણોથી પરિવર્તન પામેલ ક સ્થિતિ પાકે એટલે ઉદયમાં આવે છે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004952
Book TitleJain Dharmna Karm Siddhantnu Vigyan
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherShahpuri Jain Sangh Kolhapur
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy