SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ની અવિરતજીવો; મનુષ્ય ૨, ઉચ્ચગોત્ર, આ ૩ પ્રકૃતિની તેઉકાય અને વાયુકાયના જીવો; સમકિતમોહ અને મિશ્રમોહ ની મિથ્યાદેષ્ટિ જીવો ઉવલના સંક્રમથી પલ્યોના અસં. ભાગ જેટલા કાળમાં ઉકેલી નાખે છે. બીજી જાણવા યોગ્ય બાબતો :(૧) સામાન્ય રીતે જે જે જીવો જયારે જે જે ગતિમાં જઈ શકવાને યોગ્ય નથી ત્યારે તે તે જીવો તે તે ગતિપ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ કરતા નથી. દા.ત. તેઉકાય વાયુકાય મનુષ્યગતિમાં જઈ શકતા જ ન હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય મનુષ્યત્રિકનો બંધ કરતા નથી. તથા નારકીઓ કાળ કરીને એકેન્દ્રિયાદિમાં તથા દેવગતિ અને નરકગતિમાં જઈ શકતા નથી માટે એકેન્દ્રિયાદિ પ્રાયોગ્ય પ્રવૃતિઓ જેમકે જાતિ ૪+આપ+સ્થાવર૪તથા વૈક્રિય ૮ નો બંધ કરતા નથી. એવી રીતે અન્યત્ર પણ જાણવું. (૨) મિથ્યાત્વગુણઠાણે જે જીવો જેટલી ગતિનામકર્મ વગેરે પરાવર્તમાન પ્રકૃતિ બાંધી શકતા હોય તે તેની પ્રતિપક્ષપ્રકૃતિઓમાંથી એકેકનો બંધ કરે છે, અને એમાં અશુભનો બંધકાળ સંખ્યાતગુણો હોય છે. દા.ત. મનુષ્ય મિથ્યાત્વગુણઠાણે ચારે ય ગતિનામકર્મને બાંધી શકે છે. તેથી અંતર્મુહૂર્તે અતર્મુહૂર્તે અવરનવર ચારેય ગતિનો બંધ થાય છે. તેમાં શેષ ત્રણ ગતિ કરતાં નરકગતિનો બંધકાળ સંખ્યાતગુણો હોય છે. એવી રીતે શેષ અધ્રુવબન્ધી પરાવર્તમાન પ્રવૃતિઓમાટે જાણી લેવું. (૩) સમ્યકત્વ ગુણઠાણે તિર્યંચ-મનુષ્યો દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે. અને દેવતા-નારકીઓ મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. () પરભવમાં જતા જીવને ૧-૨ કે ૪થું આ ત્રણ ગુણઠાણામાંથી ગમે તે એક હોય છે. તેથી અપર્યાપ્તાવસ્થામાં આમાંનું જ ગુણઠાણું હોય છે. બાકીનાં ગુણઠાણાં માત્ર પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. ૩જે ૧રમે ૧૩મે આ ત્રણ ગુણઠાણે જીવ મરે નહિ. (૫) સામાન્ય રીતે સમ્યક્ત્વાદિગુણ બાધક ન હોય તો જીવનના છેલ્લા અતર્મુહૂર્તમાં જીવ જે ગતિમાં જવાનો હોય તે ગતિપ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધે છે. દા.ત. જો મનુષ્ય નરકગતિમાં જવાનો હોય, તો છેલ્લા અતહુર્તમાં નરકગતિ-પ્રાયોગ્ય કર્મ બાંધે છે. પરંતુ પૂર્વબદ્ધ નરકાયુવાલા ક્ષાયિક સમ્યગદેષ્ટિ જીવો નરકગતિમાં ઉત્પન્ન થવાના હોવા છતા છેલ્લા અંતર્મુહૂતમાં નરકગતિ પ્રાયોગ્ય બંધ કરતા નથી, કારણકે સમ્યક્ત્વરત્ન હાજર છે. માટે “સમ્યક્ત્વાદિ ગુણ બાધક ન હોય તો” એમ કહ્યું. () જીવ મરણ સમયે જો તીવ્ર સંકલેશમાં વર્તતો હોય તો તે જીવ સ્વપ્રાયોગ્ય નીચમાં નીચ) હલકામાં હલકી ગતિમાં ઉત્પન્ન થાય છે. અને જો ઉત્કૃષ્ટ વિશુદ્ધિમાં હોય તો તે જીવ સ્વપ્રાયોગ્ય સર્વોચ્ચ ગતિમાં જાય છે. દા.ત. મનુષ્ય જો અંત્ય સમયે ૭િની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004952
Book TitleJain Dharmna Karm Siddhantnu Vigyan
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri
PublisherShahpuri Jain Sangh Kolhapur
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy