SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ TUE x2x2 અત્રે લોટ રૂપે ન લેવાય. તેમજ ખાંડના લોટ રૂપ બુરૂ પણ ન લેવું કારણ કે એકલા બુરાથી નીવિયાતું થતું નથી. (૫) દુધટ્ટીઃ દૂધની અંદર ખટાશ નાખી ફાડીને કરેલ પનીર કે બીજી ચીજ તે દૂધટ્ટી છે. ખટાશથી દૂધ ફાટીને રૂપાંતર થાય છે તેથી નીવિયાતું થાય. દૂધની આંશિક અવસ્થા ઊભી રહે તેવા આ નીવિયાતા છે. બાસુંદી એ પણ દૂધનું નીવિયાતું છે. દૂધની અત્યંત રૂપાંતર અવસ્થારૂપ માવો, બરફી, પેંડા વગેરે કેવળ દૂધમાંથી બનવા છતાં તેને અહિં નીવિયાતામાં ગણાવ્યા નથી. પરંતુ ઉપલક્ષણથી નીવિયાતામાં ગણી શકાય. અથવા તો ઉત્તમ દ્રવ્યમાં તેનો સમાવેશ કરવો. દહીંના નીવિયાતાઃ દહીંમાંથી પાણી કાઢી નાખવાથી, પાણી કાઢ્યા કે ઉમેર્યા વગરની છાશ બનાવવાથી, પાણી નાખીને છાશ બનાવવાથી, દહીં કે છાશમાં મીઠું નાખવાથી, દહીં-છાશમાં રાંધેલ અનાજ વગેરે નાખવાથી દહીંના નીવિયાતાં બને છે. (૧) કરંબો : દહીંની છાશ બનાવી, વઘારી તેમાં રાબોરી, ભાત કે રોટલી અથવા બીજું અનાજ નાખવાથી કરંબો બને છે. ઘોળના ભેદથી ફક્ત છાસ પણ નીવિયાતા તરીકે જણાતી છે. જ્યારે કરંબામાં રાબોરી વગેરે વધારે ભળેલાં છે. તેથી એ સુતરાં નીવિયાતું છે. (૨) સીહરિણી : દહીંમાંથી પાણી કાઢીને કપડાથી છણી ખાંડ ભેળવી બનાવેલો શીખંડ. (૩) સલવણ દહીં : દહીંને ભાંગીને મીઠું-બલવણ નાખેલ દહીં, એ ભાંગી નાખવાના અને મીઠાના કારણે નીવિયાતું થાય ઉપલક્ષણથી હિંગાષ્ટક વગેરે નાખેલ દહીં પણ સમજવું. અત્યારે આ રીત પ્રચલિત નથી. (૪) ઘોળ : દહીંને મથવાથી એ એકદમ ભાંગી જાય છે તેથી નીવિયાતું થાય છે. અત્યારે આ રીત પ્રચલિત નથી. Jain Education International ७८ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy