SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 232 VTV AEREACTURERER ઘી-તેલમાં ભેળવાતી ચરબી, ઘી કે તેલ વિગઇમાં ન ગણાય. પણ માંસ-લોહીની જેમ તે પણ પ્રાણીના અવયવરૂપ હોવાથી ઉપલક્ષણથી માંસ વિગઇમાં આવે. (૫) ગોળ : ગોળને શેરડીના રસમાંથી રૂપાંતર કરીને બનાવાય છે. તેના દ્રવ–ઢીલો ગોળ અને પિંડ=કઠણ ગોળ એમ બે ભેદ છે. ગોળમાંથી બનતી બધી જાતની સાકર આ વિગઇના નિવિયાતામાં આવે. દ્રાક્ષ વગેરેના ચૂર્ણમાંથી બનાવેલ ગ્લુકોઝ, બીજી મીઠી ચીજો તેમજ ફળાદિ ગોળ વિગઇ કે તેના નિવિયાતામાં ન ગણાય પણ ઉત્તમ દ્રવ્યોમાં ગણાય છે. પકવાન્ન-કડાવિગઇ -; ઘી કે તેલમાં તળેલ કે શેકેલ વસ્તુઓ. અહીં તળવાની અને પોતું વગેરે કરવાની મુખ્યતા હોવાથી ઘી કે તેલ ચોપડવા માત્રથી તે કડાવિગઇ-પકવાન્નવિગઇ થઇ જાય નહિ. કડા વિગઇ થવાની રીત ઃ ચૂલા પર, કડાઇમાં કે તવી ઉ૫૨, વસ્તુ ઉપર સીધું ઘી કે તેલ નાખી અથવા પહેલાં ઘી કે તેલ નાખી પછી વસ્તુ નાખી જે પોતું થાય અથવા તળાય કે કડા વિગઇ બને. તેમ ઘીમાં લોટ શેકાય તે પણ કડા વિગઇ છે. સારાંશ : ચૂલા ઉપર મૂકેલ કડાઇ કે તવી ઉપર લોટ, લોટની વસ્તુ, અનાજ, મસાલો કે ચૂર્ણ વગેરે જે કાંઇ ઘી કે તેલમાં તળાય કે શેકાય તે કડા વિગઇ. ચરબી કે બીજા તેવા તેલ-ઘીમાં તળેલ, શેકેલ વસ્તુઓ પણ કડાવિગઇ સમજવી. પરંતુ ચરબી મહાવિગઇમાં સમાવિષ્ટ થતી હોવાથી મહાવિગઇના ત્યાગીને તે ખપે નહિ. અને મહાવિગઇનો જે ત્યાગી ન હોય તેના બીજી વિગઇના ત્યાગની કોઇ કિંમત નથી. પ્રશ્ન-૧૭. સુખડી બનાવવામાં લોટ ઘી-ગોળના પાયામાં થોડો શેકાતો હોવાથી સુખડી કડા વિગઇ ગણાય ? ઉત્તર-૧૭. ઘી-ગોળના પાયામાં બનાવેલ સૂંઠની ગોળી વગેરેને કડાવિગઇમાં ગણી હોવાથી સુખડી પણ ગણાય. (કેટલાક આને ૭૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy