SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ XARXA RUKURRERERUROR T ARKASSERERURSACARAKA હું હોવાથી આ આગાર માત્ર ત્યાં જ ઘટે. સાઢ પોરિસી વગેરેમાં આનીછું હું જરૂર રહેશે નહિ, છતાં આ આગાર તેમાં પણ છે તેનું શું કારણ ? હું હૈ ઉત્તર-૧૪. બહુ પડિપુણાપોરિસી”નું આદેશવચન એ ઉપલક્ષણ હું Sછે. તેથી સાધુના કેબીજા શિષ્ટ પુરુષના એવા કોઈ વચનબળથી પચ્ચખાણનોખું હૈ કાળ પૂરો થયો જાણી પચ્ચકખાણ પારે તો આ આગારનો અમલ થાય gછે. આ જ રીતે દ્રવ્યાદિ અભિગ્રહમાં ધારેલ દ્રવ્યાદિ પ્રાપ્ત થઈ ગયા છે$ મેં એવું સાધુ વચન કે શિષ્ટ પુરુષોના વચનથી જણાય અને અભિગ્રહ પૂર્ણ થયાને અનુરૂપ પ્રવૃત્તિ થાય તે બધો આ આગારનો વિષય જાણવો. વિગઇ પચ્ચકખાણના આગાર: (૮) લેવાલેવેણઃ જે વિગઈનો ત્યાગ હોય તેનાથી પૂર્વે ખરડાએલ ચમચા વગેરેથી જેનો ત્યાગ ન હોય તેવી ચીજ આપે, અથવા દાળ વિ. માં ખરડાએલ ચમચા, ભાત વિ. થી લૂછેલા હોય છે અને તેવા ભાત વગેરે આપે ત્યારે ત્યક્ત વિગઇના અંશવાળી પણ એ ચીજો આ આગારથી કહ્યું. જેમકે દાળથી ખરડાએલ ચમચાથી ભાત આપે ત્યારે ભાતમાં ખટાશ-મરચા-તેલ વગેરે ત્યક્ત ચીજનો અંશ આવે છતાં આયંબિલાદિમાં તે કલ્પ. એજ રીતે ચોપડેલી રોટલીઓ સાથે ભૂખી રોટલી મૂકી હોય અને એ લૂખી રોટલીને ક્યાંક ઘી વગેરેનો અંશ લાગ્યો હોય તો પણ તે કલ્પ.. (૯) ગિહન્દુસંસર્ણઃ ગૃહસ્થ એક ચીજ વહોરાવી પછી બીજી ચીજ વહોરાવે ત્યારે હાથ વગેરેને લાગેલા પહેલી ચીજના અંશો બીજી ચીજને લાગે. પહેલી ચીજનો જેને ત્યાગ હોય તેને પણ અત્યક્ત બીજી ચીજ આ આગારથી કલ્પે. જેમકે પહેલાં ચોપડેલી રોટલી વહોરાવે, પછી લૂખી રોટલી વહોરાવે, તો પહેલા વહોરાવેલ રોટલી પરનું ઘી હાથપર લાગેલ હોય તે લૂખી રોટલીઓને લાગ્યું હોય છતાં એ ભૂખી રોટલીઓ આયંબિલ વગેરેવાળાને આ આગારથી કલ્પ..... વહોરાવતી વખતે જ ત્યાજ્ય વસ્તુનો લેપ હાથ કે ભોજનને લાગ્યો હોય તો તેનાથી અપાતી અત્યક્ત ચીજ આ આગારનો વિષય જિ એક ધન રબ દરદ દાખલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy