SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ REACACACTURERCAER -CRETE અલ્પમતિવાળા ભવ્ય જીવોના બોધ માટે મેં આ ક્યું છે. એમાં જે કાંઇ વિપરીત-જિનાજ્ઞા વિરૂદ્ધ કહેવાયું હોય તેને અભિનિવેશમુક્ત, માત્સર્ય શૂન્ય ગીતાર્થો સુધારશો. પ્રશ્ન ઃ દ્વાદશાવર્ત વંદનમાં આવર્ત ક્રિયા કરતી વખતે ઉઘાડા મુખે બોલવું પડે એ વ્યાજબી શી રીતે ? અને ન બોલે તો સૂત્રલોપ થાય. ઉત્તર : જેમ પ્રભુ પૂજા કરતી વખતે દુહા ન બોલતાં ભાવના ભાવવાની છે તેમ અત્રે સૂત્ર પહેલાં બોલી પછી આવર્ત કરી મસ્તક ગુરુ ચરણે અડાડવું. જત્તા ભે ? જ્વણિજ્યં ચ ભે ? એ બે પ્રશ્નો છે. તે હાથ જોડીને પૂછાય. પછી આવર્ત કરવા જોઇએ. આમ છતાં હાલમાં આવર્તની સાથે જ તે તે શબ્દો બોલવાની પ્રથા છે. પ્રશ્ન ઃ રાઇ મુહપત્તિ સ્થાપનાજી પાસે કરવી કે ગુરુ સમક્ષ કરવી? ઉત્તર : આચાર્ય ભગવંત પાસે રાઇ મુહપત્તિ કરવામાં સ્થાપનાજીની જરૂર નથી. બીજા મહાત્મા પાસે કરવામાં સ્થાપનાજી હોવા જોઇએ અને સ્થાપનાજીને રાઇ મુહપત્તિ કરવાની હોવાથી મહાત્મા પદસ્થ કે ન હોય તો પણ સ્થાપનાજી આચાર્ય હોવાથી સવ્વસ વિ પછી વાંદણા દીધા પછી અભુદ્ઘિઓ ખામવાનો હોય છે. ન વંદન કોને ન કરવું ? એમાં પાસસ્ત્યાદિનો નિષેધ બતાવ્યો. જ્ઞાન ઓછું હોય તેનો નિષેધ ન બતાવ્યો. આનાથી ફલિત થાય છે કે ગુરુ તરીકે, પ્રથમ નંબરે......આચાર અને જ્ઞાન સંપન્ન વ્યક્તિ. બીજો નંબર.....જ્ઞાનીની નિશ્રામાં રહેનાર આચારસંપન્ન. ત્રીજા નંબરે....કથંચિદ્ આચાર હીન પણ જ્ઞાન સંપન્ન, શુદ્ધ પ્રરૂપક. ચોથા નંબરે......થંચિદ્ આચાર હીન, જ્ઞાનહીન છતાં જ્ઞાની અને આચારસંપન્નની પ્રશંસા તેમજ સહાય કરનાર હોવા જોઇએ. ત્રીજા ચોથા નંબરની વ્યક્તિઓ સંવિગ્નપાક્ષિક છે. તેઓ ગુરુ તરીકે પૂજ્ય ન હોવા છતાં માર્ગના કથંચિદ્ રક્ષક હોઇ શાસનની વૃદ્ધિમાં હેતુભૂત ગણી ગુણવાન ગણવા. જેઓ સ્વયં શિથિલ હોય, શિથિલતાનો બચાવ કરતા હોય, ઉદ્યત આચારવાળાના દોષ કાઢતા હોય તેઓને વંદન ન કરવું. Jain Education International ૩૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy