SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ --હિલિિિિિિિોિ YAXALA URVASAURSALARA --ઋતિeઇટઇટિઇતિeઇતિઅતિઇિતિeઇજિરિ ઉત્તર ૩ : બીજા વાંદણામાં અવગ્રહની બહાર નહી નીકળવાનું હે હુંકારણ એ છે કે જે કાર્ય માટે વંદન કરાય છે તે કાર્યની રજા વગેરે હું Èવાંદણા પછી લેવાનું હોય છે તેથી એ બીજા વાંદણામાં અવગ્રહમાં રહીને જ વિસ્તૃત ક્ષમાપના કર્યા પછી તે કાર્યની રજા લેવી. (આદેશ માંગવો){ હૈ અથવા તે ક્ષમાપના, આલોચના વગેરે કાર્ય પતાવવું અને પછી હું $અવગ્રહની બહાર નીકળવું. છે આનાથી સૂચિત થાય છે કે ગુરુ પાસેથી આદેશ-રજા વગેરે દૂર રહીને મંગાય નહિ. પ્રતિક્રમણના પહેલા વાંદરાના બીજા વાંદણા પછી સવ્યસ્સ વિ સુધી અવગ્રહમાં રહી પછી અવગ્રહની બહાર નીકળે. બીજા વાંદણા વખતે અભુઢિઓ ખામ્યા પછી બહાર નીકળવું. ત્રીજા વાંદણા વખતે આયરિય ઉવજઝાએ પહેલાં બહાર નીકળવું. ચોથા વાંદણા વખતે પચ્ચખાણ લઈને બહાર નીકળવું. ત્રીજા વાંદણામાં ક્ષમાપના કરવા દ્વારા આચાર્ય-સંઘ-સર્વ જીવની ક્ષમાપના કરવાની રજા અધ્યાહારથી માંગેલી જાણવી. આ વાંદણા કાયોત્સર્ગ આવશ્યક અંગેના છે. તેથી વાંદણા દઈને અવગ્રહ બહાર નીકળી કાઉસ્સગ્ગના સૂત્રો બોલી કાઉસ્સગ્ગ આવશ્યક કરવાનું છે. દરેક વખતે બીજા વાંદણામાં વાંદરા પછી જે કાર્ય હોય તે જણાવી અથવા કરીને પછી અવગ્રહની બહાર નીકળતી વખતે “આવસ્યહિ બોલવું. શેષ ૨૯ પદોનો અર્થ : આવસ્સિયાએ = આવશ્યકી કરવા પૂર્વક ...આવશ્યકી કરીને અવગ્રહની બહાર નીકળીને....પડિ) ખમા) = હે ક્ષમાશ્રમણો ! દિવસ સંબંધી ૩૩ આશાતનાઓનું હું પ્રતિક્રમણ કરું છું. ક્ષમા માંગું છું. (તે સિવાય) આપ પ્રત્યે જે કંઇ વિપરીત મનવચન કે કાયાથી આચરાયું હોય (fમચ્છીપ). મન દુષ્કૃત, વચન દુષ્કૃત, કાય દુષ્કૃતથી જે અવજ્ઞા આશાતના કરી (હોય) ક્રોધથી-માનથી-માયાથી-લોભથી (જે અવજ્ઞા આશાતના કરી હોય) સર્વ કાળ સંબંધથી-ક્યારેય પણ, સર્વ મિથ્યા ઉપચારથીઃખોટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy