SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ RRRRRRRRRRRRRRROR XAURRASATARAXRVAVA R URKRUARA PRVAVARRA છે (૧૦) વેદિકાબદ્ધ : ઢીંચણ ઉપર બે હાથ રાખવા, ઢીંચણ નીચે હૈં હું બે હાથ રાખવા, બે જાનુની બહાર બે હાથ રાખવા, બે હાથ ખોળામાંg હું રાખવા. એક જાનુને બે હાથની વચમાં રાખવો અને એક હાથને ખોળામાં હું Yરાખવો. આ પાંચ પ્રકારની વેદિકા છે. એ રીતે વંદન કરે તો આ દોષનું હું લાગે. છે (૧૧) ભજન્સ : આચાર્ય વંદનીય મને ભજે અનુસરે છે અને જોણું વંદન કરીને ખુશ કરીશ તો ભવિષ્યમાં પણ ભજશે આવા અભિપ્રાયથી વંદન કરે તે ભજન્ત દોષ. (૧૨) ભય : વંદન નહિ કરું તો આચાર્ય મને સંઘ-કુલ-ગચ્છમાંથી કાઢી મૂકશે, ઠપકો આપશે વગેરે ભયથી વંદન કરે તે ભય દોષ. (૧૩) મૈત્રી : આચાર્ય સાથે મૈત્રી થશે- જળવાશે એવા વિચારથી વાંદે તે. (૧૪) ગૌરવ : “આ સાધુ વંદનાદિ સમાચારીમાં કુશળ છે' એવી બધાને ખબર પડે એવા ગર્વથી આવર્ત વગેરે વંદનાદિ કરે તે ગૌરવદોષ. (૧૫) કારણ : ઈહલૌકિક વસ્ત્ર-પાત્ર-સન્માનાદિ માટે વંદન કરે. (૧૬) સ્તન દોષ વંદના કરવાથી બીજા જોનારાઓમાં મારી લઘુતા થશે એવા અભિપ્રાયના કારણે ચોરની જેમ છાનો છૂપો રહીને વંદન કરે. (૧૭) પ્રત્યેનીક : ૭ મા નિષેધસ્થાન દ્વારમાં કહેલ નિદ્રાદિ અનવસરે વંદન કરે. (૧૮) રુઝ : ગુરુ કોપાયમાન હોય અથવા પોતે રોષમાં હોય ત્યારે વંદન કરવું. ' (૧૯) તર્જના : “તમે તો વંદન કરીએ તો પ્રસન્ન થતા નથી કે ન કરીએ તો રોષ કરતા નથી. તેથી વંદન કરીએ કે ન કરીએ તમારે મન બધું સરખું જ છે' ઇત્યાર્દિ તર્જના કરીને વાંદે. (૨૦) શઠ : વંદન કરીશ તો સાધુ તેમજ શ્રાવકોમાં વિશ્વાસનું સ્થાન બનીશ. માટે ભાવ વગર પણ માયા કપટથી વંદન કરે. ૧૭. Jain Education International For Private & Personal Use Only Form www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy