SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો બનાવી શકાય. આ ઇજેકશન કયા દર્દીને ફાયદો કરી શકશે કે કેમ તે જાણવા માટે એશવર્થ સ્કોર (Ashworth score) તથા તેવા અન્ય ફિઝિઓથેરાપી સ્કોરની મદદ લેવામાં આવે છે. આ સારવાર મોંઘી હોવા છતાં અમુક કેસમાં અત્યંત લાભદાયી નીવડે છે. લકવાના દર્દીને સારવાર ઉપરાંત આરોગ્યનાં બધાં પાસાંઓની યોગ્ય સમજણ અને માર્ગદર્શન આપવાની સાથોસાથ ચેતવણીનાં ચિહ્નો (ટી.આઈ.એ.), પ્રાથમિક સારવાર, તાત્કાલિક સારવારની અગત્ય વગેરે વિશે સમજાવવું એ તબીબની પહેલી ફરજ છે. લકવાના દર્દીના ફેમિલી ડૉક્ટરની ભૂમિકા પણ કેટલી અગત્યની છે, તે આ પરથી સહેલાઈથી સમજાશે. સાથે સાથે દર્દીએ તેની જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા જોઈએ. બેઠાડુ જીવન ત્યજી કસરત અને વ્યાયામ-યોગ કરવો જોઈએ. ડૉક્ટરનાં સલાહસૂચન મુજબ યોગ્ય દવા-ઉપચાર કરવા જોઈએ અને સાદું જીવન અપનાવવું જોઈએ તથા તનાવ દૂર કરવો જોઈએ. મનના વલણમાં (atitude) જરૂરી હકારાત્મક ફેરફાર કરવા જોઈએ. આ બધું સમજવું અને આચરણમાં મૂકવું ઘણું લાભકારક થઈ શકે. અંતમાં, નિયમિત જીવન, માનસિક સ્વસ્થતા, પ્રમાણસરનો શ્રમ, નિયમિત કસરત તથા યોગાસનો તેમ જ જરૂરી દવાઓ અને ખાસ તો બ્લડપ્રેશર અને ડાયાબિટીસના ચુસ્ત નિયમનથી લકવો (અને હૃદયરોગ પણ) મહદ્ અંશે નિવારી જ શકાય અને તે માટે જનજાગૃતિ અતિ જરૂરી છે. તેમ કરવાથી વ્યક્તિનું, કુટુંબનું, સમાજનું તથા દેશનું ઘણું ઘણું નુકસાન (ઘણા પ્રકારનું) અટકાવી શકાય. આ અંગે ટૂંક સમયમાં એક અતિવિસ્તૃત Preventive Programme for stroke and heart attack શરૂ કરવા વિચારાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy