SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લકવો (પેરેલિસિસ) - Stroke અનુભવની જરૂર નથી. જયારે ઇન્ટ્રાઆર્ટીરીઅલ પદ્ધતિમાં કેરોટીડ કે વર્ટીબલ ધમનીમાં આર.ટી.પી.એ., યુરોકાઈનેઝ કે પ્રોયુરોકાઈનેઝ ઔષધ સીધેસીધું થ્રોમ્બોસિસની જગ્યાએ લકવો થયાના ૧થી ૬ કલાકમાં (ક્વચિત્ ૨૪ કલાક સુધીમાં) આપવામાં આવે છે. આ પદ્ધતિ જટિલ છે, અનુભવી ટીમની તથા અદ્યતન સાધનોની તેમાં જરૂર છે. આવાં થ્રોમ્બોસિસ - લોહીનું જામી જવું બીજાં પણ કેટલાંક ઔષધો સંશોધન હેઠળ છે. તે માટે વિશિષ્ટ ઉપકરણો (સી.ટી. સ્કેન, ઍન્જિયોગ્રાફીની સુવિધા)થી સજ્જ હૉસ્પિટલ હોવી જોઈએ. વિશેષમાં આ બંને સારવાર ઘણી મોંઘી છે (હાલમાં આશરે ૬૦થી ૯૦ હજાર ખર્ચ આવે) અને ૪થી ૭ ટકા દર્દીઓમાં તેની આડઅસર રૂપે બ્રેઇન હૅમરેજ થાય છે, જોકે મૃત્યુનો દર તેનાથી ઊંચો જતો નથી અને બધી રીતે વિચારતાં હાલનાં વૈજ્ઞાનિક પ્રમાણોને અનુસરીએ તો આ સૌથી શ્રેષ્ઠ ઉપચારપદ્ધતિ છે. પરદેશમાં લકવાનાં ચિહ્નો અંગે જનજાગૃતિ અતિ ઉત્તમ છે તેથી ઘણી વાર દર્દી ૧થી ૨ કલાકમાં તો હૉસ્પિટલમાં હાજર થઈ શકે છે. વળી ત્યાં ઇન્સ્યૉરન્સપ્રથા અતિ પ્રચલિત છે જેથી યુ.એસ.એ. તથા યુરોપમાં આવી ઉપચારપદ્ધતિ ઘણી ઝડપથી સર્વવ્યાપક થઈ રહી છે. આશા રાખીએ કે આપણા દેશમાં પણ આ રોગ માટેની જનજાગૃતિ વધે અને લોકો ઇન્સ્યૉરન્સપ્રથા અંગે અભિગમ સુધારે તો વધુ ફાયદો થાય. ઇન્ટ્રાઆર્ટીરીઅલ થ્રોમ્બોલિસિસ : ઉપર જણાવ્યા પ્રમાણે, આ પદ્ધતિમાં પગની કે હાથની નળીમાંથી મગજની ધમની – કેરોટીડ કે વર્ટિબલ આર્ટરીમાં – કેથેટર દ્વારા ગાઈડવાયર પહોંચાડવામાં આવે છે. પછી ડિજિટલ સબસ્ટ્રેકશન એન્જીઓગ્રાફી (DSA) દ્વારા કઈ નળીમાં થ્રોમ્બોસિસ (ગઠ્ઠો)છે કે સ્ટીનોસીસ (અવરોધ) છે, તે શોધવામાં આવે છે. ત્યાં જો થ્રોમ્બોસિસ હોય Jain Education International ૬૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy