SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને શાંનતંતુના રોગો ગંભીર કક્ષાના દર્દીને લકવાની સાથે મગજમાં સોજો જણાય તો તેને બેભાન થતો અટકાવવા સોજાની સારવારની દવાઓ I.C.U.માં આપવી જોઈએ. તેની નાડી, બી.પી. અને શ્વાસ વગેરે બરાબર ટકી રહે તે માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ. ખેંચ આવે તો તેને કાબૂમાં લાવવી જોઈએ અને બ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરે હોય તો તેની પણ તાત્કાલિક સારવાર સાથોસાથ શરૂ કરી દેવી જોઈએ. ૬૨ લકવાની સારવારના મુખ્ય છ ભાગ છે : (૧) થ્રૉમ્બોલિટિક ફૅરપી (૨) એન્ટીથ્રોમ્બોટિક ફૅરપી (૩) ન્યુરોપ્રોટેક્ટિવ થેરપી (૪) કૉમ્પ્લિકેશન માટેની ફૅરપી (૫) ન્યુરૉસર્જરી (૬) ટેકારૂપ (સપોર્ટિવ) થ૨પી; ફિઝિઓથૅરપી (૧) થ્રૉમ્બોલિટિક ફૅરપી : એ હવે નિર્વિવાદ સત્ય છે કે થ્રૉમ્બોએમ્બોલિઝમથી થતા લકવાના કેસોમાં જો સઘન, તદ્દન નવી વિશિષ્ટ સારવાર લકવો થયાના ૧થી ૬ કલાકમાં તેમાંય ખાસ તો ૧થી ૪૧/૨ કલાકમાં આપી દેવામાં આવે તો ઘણા કેસોમાં (અ) આખીયે અવરુદ્ધ નળી ખૂલી જાય છે. (બ) નળીની અંદરનો ગઠ્ઠો (થ્રૉમ્બસ) ઓગળી જાય છે અને (ક) મગજના કોષોનું નુકસાન અટકી જાય છે અને તેથી આવનાર લકવો અને તેનાં પરિણામોમાંથી દર્દી બચી જાય છે. આમાં મુખ્યત્વે સંશોધન થ્રોમ્બોલિટિક થેરપી પર થયું છે. જેમાં આર.ટી.પી.એ. નામનું ઔષધ લકવો થયાનાં માત્ર ૧થી ૪૧/૨ કલાકમાં હાથ કે પગની શિરામાં આપવામાં આવે છે તેને ઇન્ટ્રાવીનસ થ્રોમ્બોલિસીસ કહે છે. આ પદ્ધતિ પ્રમાણમાં સરળ છે જેમાં વધુ ઉપકરણો કે વિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy