SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો હોમોસિસ્ટીનનું યોગ્ય પ્રમાણ જાળવવામાં આવે, કસરત નિયમિત કરવામાં આવે, તનાવથી દૂર રહી સર્વમિત્ર બનવામાં આવે અને યોગ્ય કિસ્સામાં લોહી પાતળું પાડવાની યોગ્ય દવા દર્દી નિયમિત લે, તો ૭૦% લકવા-હૃદયરોગ દૂર થાય. નિદાન : લકવો એ મગજના રાગ હોવાથી અનુભવા ફાઝાશયન અથવા મગજના રોગના નિષ્ણાત (ન્યુરૉફિઝિશિયન) પાસે સત્વરે (વિનાવિલંબે) યોગ્ય સારવાર લેવી જોઈએ. આ નિષ્ણાતો મગજના કયા ભાગે, કેટલે અંશે ક્ષતિ પહોંચી છે તે જાણવા સારુ જરૂરી શારીરિક તપાસ તથા કેટલીક સંલગ્ન તપાસ કરાવતા હોય છે. મોટે ભાગે મગજનો સી.ટી. સ્કેન અથવા એમ.આર.આઈ. ટેસ્ટ કરાવી સારવારનો યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. લકવો થયાના શરૂઆતના જ કલાકોમાં સી.ટી. સ્કેન કરાવવાનો હેતુ દર્દીને થ્રોમ્બોએમ્બોલિઝમ છે કે હેમરેજ છે તે જાણવાનો છે. હેમરેજ તો સી.ટી. સ્કેનમાં તરત જ જણાઈ આવે. થ્રોમ્બોસિસના કેસમાં સી.ટી. સ્કેન શરૂઆતના કેટલાક કલાકો સુધી નોર્મલ આવે છે. તેથી હેમરેજ નથી તેની ખાતરી થતાં જ લકવાના કેસોમાં થ્રોમ્બોસિસની સારવાર પ્લેઈન સી.ટી. સ્કેનના આધારે સામાન્ય રીતે તરત જ શરૂ કરી દેવામાં આવે છે. જ્યારે ૨૪-૩૬ કલાક પછી કૉન્ટ્રાસ્ટ ડાઈ નાખીને ફરી વાર સી.ટી. સ્કેન કરાવવાથી મગજના કેટલા ભાગમાં થ્રોમ્બોસિસની અસર છે તે સ્પષ્ટ જણાય છે, જેનાથી દર્દીના ભવિષ્ય અંગેની અટકળ કરી શકાય. કોઈ વખત લકવા જેવાં લક્ષણો બીજા કોઈ રોગને કારણે હોય તો તે પણ સી.ટી. સ્કેનથી જણાઈ આવતાં ગંભીર ભૂલ થતી અટકી જાય છે. - આ ઉપરાંત લોહીની કેટલીક વિશેષ તપાસ, બાયોકેમિસ્ટ્રી (શુગર, 'કિડનીના ટેસ્ટ વગેરે). ઇ.સી.જી. તથા અન્ય જરૂરી તપાસ દ્વારા દર્દીની શારીરિક સ્થિતિ જાણવામાં આવે છે. યોગ્ય સમયે લોહીની ચરબીનો ટેસ્ટ કરાવવામાં આવે છે. હૃદયની તપાસમાં ર-ડી ઈકો (દ્રિપરિમાણીય ઈકો) વગેરે દ્વારા રોગનાં કારણો અને માહિતી પણ મેળવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy