SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ લકવો (પેરેલિસિસ) - stroke દર્દીનું બ્લડપ્રેશર જોતાં રહેવું જોઈએ. ભલે દર્દી કોઈ પણ બીજી બીમારીની સારવાર માટે કેમ ન આવ્યો હોય. આમ કરવું એ તબીબની પવિત્ર ફરજ છે. બ્લડપ્રેશરના યોગ્ય ઉપચાર અને નિયમનથી હૃદયરોગ, લકવો અને કિડનીની બીમારી અટકાવી શકાય છે. સિસ્ટોલિક (ઉપરનું) બ્લડપ્રેશર લગભગ ૧૨૦ અને ડાયસ્ટોલિક (નીચેનું) બ્લડપ્રેશર ૮૦-૮૫ રાખવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. માત્ર બ્લડપ્રેશરના સચોટ અને આજીવન નિયમનથી ૪૦થી ૫૦ ટકા લકવા તથા હૃદયરોગ ચોક્કસપણે અટકાવી શકાય તેવું વખતોવખત પુરવાર થયું છે તેથી બ્લડપ્રેશરના નિયમન વિષે જેટલું કહેવાય તેટલું ઓછું છે. ખોરાકમાં ઉપરથી મીઠું ભભરાવવાનું અને પાપડ-અથાણાં ખાવાનું બંધ કરવામાં આવે તો ૧૦થી ૧૫ મિ.મી. બ્લડપ્રેસર ઘટે અને તો ૨૦થી ૨૫% લકવા તથા હૃદયરોગ અટકાવી શકાય. સામાન્ય જનતામાં બ્લડપ્રેશર વિષે અનેક ગેરમાન્યતાઓ છે. જેમ કે કેટલાક દર્દીઓ પોતાને બ્લડપ્રેશર હોઈ શકે તે માનવા જ તૈયાર નથી હોતા. તેમનું કહેવું એમ હોય છે કે “મને માથું દુ:ખતું નથી, ચક્કર પણ આવતાં નથી” વગેરે. પરંતુ બધા જ બ્લડપ્રેશરના દર્દીઓને આવાં લક્ષણો હોતાં નથી. વળી, અમુક દર્દીઓ થોડો વખત દવા લઈ એમ માનવા પ્રેરાય છે કે હવે બ્લડપ્રેશર કંટ્રોલ થઈ ગયું છે. દવા સાથે મપાવવાથી પ્રેશર નોર્મલ રહેતું હોય એટલે તેઓ દવા બંધ કરી દેતા હોય છે. તેઓ એમ માને છે કે તેમને પ્રેશર મટી ગયું પરંતુ આ એક અતિ ભયજનક ગેરસમજે છે.*દવા બંધ કરતાં થોડાક સમયમાં જ બ્લડપ્રેશર ફરીથી વધવા માંડે છે અને અંતે દર્દી લકવા અને હૃદયરોગનો હુમલો થાય ત્યારે ડૉક્ટર પાસે પહોંચે છે. આવું રોજેરોજ અમારા જોવામાં આવે છે તેથી અતિશય દુઃખ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy