SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૪) ચક્કર આવવાં, ધૂંધળું દેખાવું, બેવડું-ડબલ દેખાવું, માથું અચાનક દુખવું, ઊલટી-ઊબકા આવવા, બંને પગમાં કમજોરી થવી, લથડયાં આવવાં, અચાનક ક્ષણિક બેભાન થવું, ખેંચ આવવી અથવા પડી જવું, આવું અમુક ક્ષણોમિનિટો-કલાકો સુધી રહે. ઉપર મુજબનાં ચિહ્નો દરમ્યાન મગજનો સી.ટી. સ્કેન અથવા એમ.આર.આઈ. નોર્મલ આવે તો તેને ટી.આઈ.એ. કહે છે. આવાં ચિહ્નો અવગણ્યાં હોય તો પછીથી શક્ય છે કે આખા અંગનો લકવો આવે, વાચા જતી રહે અને દર્દી બેભાન પણ થઈ શકે. જિંદગીનું જોખમ થઈ જાય. લકવો તેમ જ હૃદયરોગ આવતો અટકાવવાના ઉપાયો : એથેરોસ્ક્લેરોસિસ ખૂબ જ ધીમી ગતિએ ઉત્તરોત્તર વધતો રોગ છે જેમાં આગળ સૂચવેલાં જોખમી પરિબળો ગતિ તથા ક્ષતિમાં વધારો કરી શકે છે. તેને અટકાવવા માટે પ્રથમ તો વજન સમતોલ રહે તેવો સાત્ત્વિક અને છતાં પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. તમાકુ અથવા ધૂમ્રપાનની આદત હોય તો તેનો ત્યાગ કરવો. ૧ સિગરેટથી આશરે ૭ મિનિટ આયુષ્ય ઘટે. ૨૦ વર્ષની ઉંમરે તમાકુ છોડવામાં આવે તો ૯ વર્ષ આયુષ્ય વધે. કોઈપણ રીતે તમાકુનું સેવન વિશ્વમાં બંધ થાય તો ૨૫ થી ૩૦% લકવા, હૃદયરોગ અને કેન્સર નાબૂદ થાય. બ્લડપ્રેશર : આ એક ખૂબ જોખમી પરિબળ છે. બ્લડપ્રેશર નિયમિત ચેક કરાવવું અને જો વધુ જણાય તો યોગ્ય દવા લઈને કાબૂમાં રાખવું. દરેક તંદુરસ્ત વ્યક્તિએ પણ સમયાંતરે તે ચેક કરાવતા રહેવું જરૂરી છે. તેમાંય જો માથું દુઃખે, ચક્કર આવે, અંધારાં આવે, બેચેની થાય તો બી.પી. મપાવવું જ જોઈએ. એક આધારભૂત માહિતી (નેશનલ સ્ટ્રોક ઍસોસિએશન) મુજબ દરેક મુલાકાત-વિઝિટમાં ડૉક્ટરે તેના For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy