SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો જ્યારે મુખ્ય દવાઓ યોગ્ય તબીબી માર્ગદર્શન (GuidelineProtocol) મુજબ વાપરી ચૂક્યાં હોઈએ અને દવાઓનાં યોગ્ય સંયોજનો (Polytherapy), યોગ્ય માત્રામાં, યોગ્ય સમય સુધી વાપરવા છતાં પણ ખેંચ-વાઈનું સંતોષકારક નિયમન થાય નહીં તો તેને અનિયંત્રિત ખેંચ (Refractrory Epilepsy-Intractable Epilepsy) કહેવાય. આવું નક્કી કરતાં પહેલાં નીચેની બાબતો ફરીથી ચકાસી જોવી જોઈએ. (૧) આ દર્દ ખેંચનું જ છે ને? નિદાનમાં કોઈ ભૂલ (Diagnostic Error) તો નથી ને ? ભળતો જ કોઈ રોગ જેમ કે સીન્કોપ, હિસ્ટીરિયા અને શુગર ઘટી જવી વગેરે તો નથી ને? ખેંચનો પ્રકાર બરાબર નક્કી થયો છે ને? ખેંચનું કોઈ કારણ શોધવામાં તો ભૂલ થઈ નથી ને ? આ બાબતોનું ફરીથી વિશ્લેષણ કરી નક્કી કરવું જોઈએ. (૨) તેને લગતી યોગ્ય દવા, યોગ્ય માત્રામાં અપાઈ તો છે ને ? જે તે પ્રકારની ખેંચમાં અલગ દવા આપવામાં આવે છે. ખોટી દવા (Inappropriate drug)થી ખેંચ વકરી પણ શકે છે, જેમ કે કાર્બોનેઝેપિન આપવાથી માયોક્લોનિક પ્રકારની ખેંચ વકરી શકે. (૩) અયોગ્ય ડોઝ-માત્રા અથવા તો અયોગ્ય સંયોજનો તો નથી ને? લોહીમાં દવાનું પ્રમાણ જે તે વ્યક્તિમાં બરાબર જળવાયું તો છે ને ? આ ઉપરાંત દર્દીની બધી યોગ્ય તપાસ થઈ ચૂકી છે કે નહીં, જેમ કે ઈ.ઈ.જી., સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. વગેરે દ્વારા તપાસીને યોગ્ય કારણ શોધવામાં આવ્યું છે ને ? (૪) દર્દીના સંદર્ભમાં કોઈ પરિબળ નથી ને ? જેમકે દર્દી ખરેખર યોગ્ય દવા નિયમિત રીતે લે છે કે નહીં? કોઈ બીજો માનસિક કે શારીરિક રોગ તો નથી ને? બીજી કોઈ દવાઓ બીજા રોગ માટે ચાલતી હોય તેની કોઈ વિપરીત અસરથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy