SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વાઈ, આંચકી, ખેંચ (એપિલેપ્સી) ૪૩ રોગનાં લક્ષણો અને પ્રકાર ઉપરથી ડૉક્ટર યોગ્ય દવા નક્કી કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ રોગ અંગે ઘણાં નવાં સંશોધનો થયાં છે, રોગનિવારક નવી દવાઓ પણ શોધાઈ છે. નવાં સંશોધનોને દવાઓ તથા સર્જરી એમ મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. નવી દવાઓ (સેકન્ડ જનરેશન) પૈકી ગાબાપેન્ટીન, લેમોટ્રિજિન, વિગાબેટ્રીન, ટીગાબીન, ફેલ્બમેટ, ટોપીરામાઇડ ઉલ્લેખનીય છે. આ દવાઓ અમેરિકાના એફ.ડી.એ. (ફેડરલ ડ્રગ્ઝ ઑથોરિટી) દ્વારા કડક ચકાસણીમાંથી પસાર થઈ હોઈને બજારમાં વાઈની દવા તરીકે સ્વીકૃત થયેલી છે. સામાન્યતઃ આ દવાઓ પ્રમાણમાં મોંઘી પડે છે. અગાઉ જણાવેલી મુખ્ય દવાઓની અસર જે તે કૅસમાં લાગુ પડી ન હોય તો જ આ નવી દવાઓ વાપરવામાં આવે છે. મોટા ભાગે આ દવાઓની આડઅસરો ઓછી હોય છે તેમ છતાં પણ કેટલાક કેસમાં વિચિત્ર આડઅસરો જોવા મળે છે, જેમ કે ટોપીરામાઇડથી આશરે ૨ ટકા દર્દીઓને કિડનીમાં પથરી થાય છે. આ દવાઓની ખૂબ લાંબાગાળાની અસરો માટે હજુ ઓછો અનુભવ છે પરંતુ સગર્ભાવસ્થામાં આ દવાઓ કદાચ સલામત-(safe) છે. એટલે કે જન્મ લેનાર બાળક ઉપર આ દવાઓની આડઅસર નહિવત્ હશે તેમ જણાયું છે. આમ સુયોગ્ય કેસમાં જ્યારે મુખ્ય દવાઓ સફળ ન હોય અથવા તો તેનાથી આડઅસર થતી હોય તેવા કેસમાં આ નવી દવાઓ જરૂરથી વાપરવી જોઈએ. તદ્દન નવી દવાઓમાં મુખ્યત્વે ઓક્ષકાબૂઝેપિન, લીવાટીરાસીટામ તથા ઝોનીસેમાઇડ આવે. આ દવાઓ હજી ઘણી નવી છે. તેને થર્ડ જનરેશન દવાઓ પણ કહી શકાય. સ્વાભાવિક રીતે જ આ દવાઓનો અનુભવ ઓછો છે પરંતુ અત્યાર સુધીમાં તે અસરકારક જણાઈ છે. તેની આડઅસરો તદ્દન નજીવી છે અને કેટલીક જૂની દવાઓને સ્થાને તે આરામથી ગોઠવાઈ જશે તેમ જણાય છે, જેમ કે કાર્બોમેઝેપિનને સ્થાને ઓક્ષકાબેઝેપિન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy