SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ 30 મગજ અને જ્ઞાનતંતુના રોગો કારણો ઃ (૧) માર્ગ-અકસ્માત : (મગજને ઈજા) બ્રેઇન ટ્રૉમા ઃ કન્કશન, કયૂઝન, હૅમરેજ (સબડ્યૂરલ, એકસ્ટ્રાડ્યૂરલ) (૨) મગજમાં લોહીના પરિભ્રમણના રોગો : થ્રૉમ્બોસિસ, (ધમની અથવા શિરામાં લોહી ગંઠાવું), એમ્બોલિઝમ, રક્તસ્રાવ (હૅમરેજ), સબએરેકનૉઈડ હૅમરેજ (૩) મગજના ચેપથી થતા રોગો અથવા ઇન્ફેક્શન (સંક્રમણ) : મૅનિન્જાઇટિસ, ટી.બી., વાયરસ એન્સેફેલાઇટિસ, ઝેરી મૅલેરિયા, એઇડ્સ તથા અન્ય ઑપોર્ચ્યુનિસ્ટિક (તકવાદી) રોગો, ફન્ગસ (ફૂગ), પેરેસાઇટ ઇન્ફેક્શન, સિફિલિસ વગેરે. (૪) બ્રેઇન ટ્યૂમર : કૅન્સરની (પ્રાઇમરી અથવા સેકન્ડરી) ગાંઠ, જેવી કે ગ્લાયોમા કે મેટાસ્ટેસિસ, સાદી ગાંઠો જેવી કે મૅનિન્જિઓમા. આ બધામાં માથું દુખવું, ચક્કર આવવાં, ખેંચ આવવી, ઊલટી થવી, એક કે બે બાજુનાં અંગોમાં લકવાની અસર આવવી તેવાં લક્ષણો ચિહ્નો હોય છે. ડૉક્ટરી તપાસ અને સી.ટી. સ્કેન, એમ.આર.આઈ. દ્વારા સચોટ નિદાન થઈ શકે છે. (૫) ચયાપચયના (મેટાબૉલિક) રોગો : જેમાં ડાયાબિટિક કોમા મુખ્ય છે. આમાં દર્દીની જીવનશૈલી, માનસિક તનાવ અને વ્યસ્તતા વગેરે અગત્યનો ભાગ ભજવે છે. ઑક્સિજનની ઊણપ, શરીરમાં શર્કરા-શુગરનું અનિયંત્રિત પ્રમાણ (વધઘટ), લિવર, કિડનીના રોગો અને શ્વાસના રોગો વગેરેથી જુદાં જુદાં અંગોની કાર્યક્ષમતાને ધક્કો પહોંચવાથી અંતે મગજની કાર્યક્ષમતા ખોટકાવાથી કોમા થાય છે. (૬) પોષણની ઊણપથી કે ડિહાઈડ્રેશન થવાથી પણ કોમા થઈ શકે છે. શરીરને ઉપયોગી ઘટકો જેવાં કે વિટામિન બી-૧, બી-૧૨ વગેરે દ્રવ્યો બહુ ઘટી જવાથી પણ કોમા થઈ શકે છે. સોડિયમ (મીઠું) ઘટવાથી થતા કોમાને હાઇપોનેટ્રીમિક કોમા કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy