SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો મગજને લોહી પૂરું પાડતી ગળામાંથી પસાર થતી ગ્રીવા ધમની (કેરોટીડ આર્ટરી) સાંકડી થતી હોય કે તેમાં ક્ષાર જામી જાય તો તેને ફુગ્ગાની મદદથી ફુલાવી આ ક્ષારને તોડી શકાય છે, જેને કેરોટીડ એન્જિઓપ્લાસ્ટી કહે છે. ૨૬ હૃદયની એન્જિઓગ્રાફીની જેમ જ મગજની એન્જિઓગ્રાફીમાં પણ અમુક નજીવાં પણ ચોક્કસ જોખમો રહેલાં હોય છે પરંતુ આ જોખમની પણ સારવાર કરવી શક્ય છે. કોઈ પણ જોખમ વગર પણ નળીઓની તપાસ કરી શકાય. દા.ત., કલર ડોપ્લર, સી.ટી. એન્જિયોગ્રાફી, એમ.આર.આઈ. એન્જિયોગ્રાફી વગેરેથી મળતી માહિતી DSAની તુલનામાં ૫-૧૦ ટકા ઊતરતી હોય છે. કલર ડોપ્લરની મદદથી ગળાની કેરોટીડ આર્ટરી અંગે બહુ જ સરળતાથી સાદી સોનોગ્રાફી દ્વારા માહિતી મળી શકે છે, જે દ્વારા ધમનીનો પરીઘ, લોહીનું પ્રેશર, લોહીના ક્ષારની માત્રા જોઈ શકાય છે. એમ.આર.આઈ. એન્જિઓગ્રાફીમાં, કૅથેટરની મદદ સિવાય ધમની તેમ જ શિરાની બહુ જ ઝીણવટભરી તપાસ થઈ શકે છે અને આ પરીક્ષણ-તપાસ બહુ જ ઝડપથી નળીઓની પ્રાથમિક તપાસ તરીકેનું સ્થાન લઈ રહેલ છે. તે માટે દર્દીએ એમ.આર.આઈ.ની જેમ જ જઈને તપાસ માટે ટેબલ પર સૂઈ જવાનું હોય છે. સી.ટી. એન્જિઓગ્રાફી આનાથી પણ સારું પરિણામ આપે છે. વિજ્ઞાન, ટેક્નોલૉજી અને કમ્પ્યુટરના આધુનિકીકરણની મદદથી રેડિયોલૉજીમાં બહુ જ ઝડપભેર નવી શોધો આવી રહી છે. પૅટ સ્કેન (PET Scan-Positron Emission Tomography)ની મદદથી તથા પૅટ-સી.ટી.સ્કેનથી અમુક રોગોની આથી પણ વિશેષ માહિતી મળી શકે છે, જેથી દરદીની વધારે સારી રીતે સારવાર થઈ શકશે, જોકે તે આસાનીથી ઉપલબ્ધ નથી. SPECT Scan દ્વારા મગજની ચયાપચયની માહિતી કે મગજની કાર્યદક્ષતાની માહિતી મળી શકે છે. મગજની ગાંઠ, મગજમાં ચેપ તથા અમુક અન્ય રોગોમાં સ્પષ્ટ નિદાન માટે M.R.Spectroscopy નામના ખાસ પરીક્ષણનો વ્યાપ આજકાલ વધતો જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy