SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક વિશે ગુજરાતી ભાષામાં તથા અન્યત્ર, ઠેર ઠેર હૃદયરોગ, બ્લડપ્રેશર, સ્થૂળતા, ડાયાબટિીસ વગેરે રોગો વિશે વિપુલ માહિતી ઉપલબ્ધ છે. મગજ અને ચેતાતંત્રના રોગો વિશે માહિતી ખાસ ક્યાંય છે નહિ તેથી આ પુસ્તકમાં મગજ અને ચેતાતંત્રને લગતા, ખૂબ સામાન્ય જોવા મળતા રોગો અંગે અને તેમના નિદાન-સારવાર અને એટકાવ માટે દર્દી અને તેના સગાઓ સમજી શકે તેવી માહિતી પૂરી પાડવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. પુસ્તકના પ્રથમ પ્રકરણમાં મગજ અને ચેતાતંત્ર વિશે મૂળભૂત | માહિતી આપી છે. ત્યાર બાદ મગજના રોગોનું કારણ શોધવા માટે જરૂરી એવી ન્યુરૉ-રેડિયોલોજિકલ તપાસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. તે પછીના 7 પ્રકરણમાં મગજ અંગેના અગત્યના તથા સવિશેષ જોવા મળતા રોગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પ્રકરણ 10 થી ૧૪માં તબીબી વિજ્ઞાનને પડકાર રૂપ એવા મગજના રોગોનું વિવરણ કરવામાં આવ્યું છે. કરોડરજજુના રોગોની વિગતો પ્રકરણ ૧૫માં આપેલ છે. પ્રમાણમાં ઓછા જાણીતા છતાં દર્દીની જિંદગીને ક્રમશ: પરવશ બનાવતા વિશિષ્ઠ રોગોની માહિતી પ્રકરણ 16 થી ૨૦માં આપવામાં આવી છે. ૨૧મી સદીનો, દરેક વ્યક્તિને સ્પર્શતો પ્રશ્ન તનાવ હોઈ, તેના અંગે વૈજ્ઞાનિક ચર્ચા પ્રકરણ ૨૧માં સંક્ષિપ્તમાં આલેખી છે. જ્યારે દવા-ઉપચાર વડે રોગનો નિવેડો ન આવે અને જરૂરી જણાય ત્યારે સારવાર માટે સર્જરી-શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે, શસ્ત્રક્રિયા અંગે રસપ્રદ માહિતી પ્રકરણ ૨૨માંક આપવામાં આવી છે. 23 અને 24 આ બે પ્રકરણોમાં રોગો અંગેની દવાઓ તથા હૉસ્પિટલમાં આપવામાં આવતી સારવાર અંગે સૂચનો આવરી લીધા છે. વિષય-વસ્તુની સમજૂતી સરળ બનાવવા સારુ, આકૃતિઓનો યથાયોગ્ય આધાર લીધો છે. જ્યાં ક્યારેક યોગ્ય ગુજરાતી શબ્દો મળી શક્યા નથી ત્યાં અંગ્રેજી મૂળ શબ્દો રાખ્યા છે તે બદલ સુજ્ઞ વાચકો દરગુજર કરશે. વળી, કેટલીક દવાઓ જેનેરિક નામ ઉપરાંત ક્વચિત્ બજારનામથી વિશેષ પ્રચલિત હોઈ તે નામનો માત્ર વાચકોની સમજણ માટે ઉપયોગ કરવો પડ્યો છે. આ પુસ્તકમાં પર્યાપ્ત અને પ્રાપ્ત માહિતીના આધારે વિગતો પૂરી પાડવામાં આવેલી છે; પરંતુ, તબીબી વિજ્ઞાનમાં અવિરત વિકાસ તેમજ સંશોધનની પ્રક્રિયા ચાલુ જ રહે છે, તે વાચકે લક્ષ્યમાં રાખવું જોઈએ. અંતમાં, આ પુસ્તક જનતાને ઉપયોગી નીવડે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના. ISBN 13800651-5. ડૉ. સુધીર વી. શાહ એમ.ડી., ડી.એમ. (ન્યુરૉલોજી) ' ન્યુરૉલોજી સેન્ટર, 206-208, સંગિની કોમ્પલેક્સ, પરિમલ રેલવે ક્રોસિંગ પાસે, એલિસબ્રિજ, ફોન : 26467052, 26467467 અમદાવાદ-૩૮૦ 006, ઉll7 93 8 nlp b 5] રઘll. website : www.sudhirneuro.org Jain Education International ઈ),
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy