SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો મગજના ઉપર્યુક્ત રોગો એ ચેતાતંત્રના રોગો (ન્યુરોલોજિકલ ડિસઑર્ડસ) કહેવાય. તેની સારવાર ન્યુરોલોજિસ્ટ અથવા કોઈ પણ સક્ષમ ફિઝિશિયન કરી શકે. મનના રોગોને માનસિક રોગો એટલે કે, (સાઇકિઆટ્રિક ડિસઓર્ડર્સ) કહેવાય, જેમાં મુખ્યત્વે ડિપ્રેશન, એક્ઝાઇટી, સાઈકોસિસ, ન્યુરૉસિસ, પર્સનાલિટી પ્રૉબ્લેમ અને મનોદૈહિક (સાયકોસોમેટીક) રોગો વગેરે આવે. આ બધા રોગોની સારવાર નિષ્ણાત સાઈકાયટ્રિસ્ટ પાસે કરાવવી જોઈએ. સામાન્ય રીતે સાઈકાયટ્રિક રોગોમાં સી.ટી. સ્કેન, ઈ.ઈ.જી. અને લમ્બર પંક્યર વગેરે તપાસ નોર્મલ આવે. કેટલીક વાર બે જુદા જુદા રોગમાં એકસરખાં ચિહ્નો આવી શકે, જેમ કે માણસની પ્રકૃતિમાં ફેરફાર આવ્યો હોય એટલે આપણે માની લઈએ કે ડિપ્રેશન થયું છે, પણ ક્વચિત્ તે બ્રેઇન ટ્યૂમર (ફ્રન્ટલ અથવા કૉર્પસ કેલોઝલમાં ગાંઠ) પણ હોઈ શકે. આમ, નિદાનમાં ગંભીર ભૂલ થઈ જઈ શકે; તેથી ખૂબ ઊંડાણમાં દર્દીને રોગલક્ષી પુછાતી વિગતો-વિસ્તૃત તબીબી ઇતિહાસ (History) લઈને, લંબાણથી શારીરિક તપાસ કરવી દરેક માનસિક કેસમાં જરૂરી હોય છે. ક્વચિત્ શંકા પડે તો બે તપાસ જેમ કે સી.ટી. સ્કેન, ઈ.ઈ.જી. કરવી, વધારે સારી પરંતુ ઉતાવળે માનસિક રોગનું લેબલ મારવું ખોટું એમ કહી શકાય. સદ્ભાગ્યે આવી પરિસ્થિતિ જવલ્લે જ થાય છે. એ જ રીતે માથામાં થતી તમામ પ્રકારની ઈજાઓ-જેમ કે માર્ગઅકસ્માત, ઊંચાઈ પરથી પડવાને લીધે વાગવું, માથામાં કોઈ ઓજારથી થયેલી ઈજા મહદ્ અંશે તાત્કાલિક સારવાર - કટોકટીની સારવાર માગી લેતી બીના છે. તેમાં સહેજ પણ સમય ગુમાવ્યા સિવાય દર્દીના હિતમાં સાચી વાત એ છે કે તેને તરત જ સાર્વજનિક કે ખાનગી હૉસ્પિટલમાં દર્દીને ખસેડી તાત્કાલિક ન્યુરોસર્જન દ્વારા સારવારની વ્યવસ્થા કરવી જોઈએ. વળી, મગજ તથા કરોડરજ્જુને લગતા તમામ ઓપરેશન માટે ન્યુરોસર્જનની . જરૂર પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy