SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો તો આ માટે ડિસ્પોઝેબલ કૅથેટર વાપરવું વધુ યોગ્ય છે. દર્દીને શ્વાસમાં તકલીફ રહેતી હોય કે કફ વધારે હોય અથવા બેભાનાવસ્થામાં રહે તો પોર્ટેક્ષની એન્ડ્રોટ્રેકીઅલ ટ્યૂબ મૂકવામાં આવે છે. તેને ૭થી ૧૪ દિવસ સુધી રાખી શકાય. તેનાથી સક્શન વધુ સારી રીતે થાય છે. શ્વાસોચ્છવાસમાં રાહત રહે છે. Tracheostomy : દર્દીને છાતીમાં કફ વિશેષ ભરાયા કરે અથવા તેની બેભાન અવસ્થા જલદી સુધરે તેવું લાગતું ન હોય તેવા સંજોગોમાં ડૉક્ટરો tracheostomyનો નિર્ણય લેતા હોય છે. આ પ્રક્રિયામાં ગળાની ઉપર આગળના ભાગે નાનો છેદ પાડી નાની પ્લાસ્ટિક કે મૅટલ ટ્યૂબ નાખી તે દ્વારા શ્વાસની આવનજાવનની પ્રક્રિયા નોર્મલ કરવામાં આવે છે. તેનો વિશેષ ફાયદો એ છે કે કફ જમા થયો હોય તો સહેલાઈથી કાઢી શકાય છે અને તેથી ન્યુમોનિયાનું જોખમ ઓછું થઈ જાય છે. શ્વસનક્રિયામાં રાહત થાય છે. જ્યારે શ્વાસોચ્છવાસ સુધરે, દર્દી ભાનમાં આવે, કફ ઓછો થવા માંડે ત્યારે છિદ્ર નાનું કરવા ટ્યૂબની પહોળાઈ ઓછી કરતા જવાનું; તેથી છેવટે છિદ્ર બંધ થઈ જતું હોય છે, ઘા રુઝાઈ જાય છે. શ્વાસોચ્છ્વાસ સારો રહે, કફ ન ભરાય તથા હાઇપોસ્ટેટિક ન્યુમોનિયા ન થાય તે માટે શરૂઆતથી જ Chest physiotherapy શરૂ કરી દેવી જોઈએ. વળી જરૂર મુજબ દર્દીને નેબ્યુલાઇઝરથી શ્વાસમાર્ગમાં યોગ્ય દવાઓ તથા વરાળ પહોંચાડી શ્વાસનો રસ્તો ખુલ્લો, સ્વચ્છ અને હૂંફાળો રાખીને કફ જામતો અટકાવી શકાય. (૧૦) સામાન્ય દેખભાળ (Nursing Care) (૧) દર્દીની પથારી સ્વચ્છ અને કરચલી વગરની રાખવી. પથારીમાં જરૂર લાગે ત્યારે પાઉડર છાંટવો જોઈએ. સ્વજનોએ દર્દીની પથારીમાં શક્યતઃ બેસવું જોઈએ નહિ. ચેપ લાગે તેવી શક્યતા હોય તો સગાંઓને મોઢા ૫૨ માસ્ક તથા માથા પર કૅપ રાખવાની સલાહ ડૉક્ટરો આપતા હોય છે. www.jainelibrary.org Jain Education International
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy