SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ લાંબા સમય સુધી વાપરવી પડે તેવી ન્યુરૉલૉજીની દવાઓ વિશે સમજણ ૨૭૧ ૭. કમરના અને જાંઘના ભાગમાં સ્નાયુઓની નબળાઈ આવવાથી જમીન પરથી ઊભા થવામાં તકલીફ પડે. ૮. હાડકાં પોચાં પડવાથી મણકા અને કમરનો દુખાવો થાય. ૯. થાપાનું હાડકું નબળું પડવાથી ત્યાં દુખાવો થાય છે અને ક્યારેક તેના અગ્ર ભાગમાં ફ્રેક્ટર થવાથી સર્જરી પણ આવશ્યક બને છે. ૧૦. ટી.બી., હર્પિસ જેવા ચેપ સહેલાઈથી લાગી શકે છે. ૧૧. પેશાબમાં પરુ થઈ શકે. ૧૨. સ્વાદુપિંડમાં સોજો આવી શકે. ૧૩. લોહીમાં પોટેશિયમનું તત્ત્વ ઘટી જાય. ૧૪. સ્ટિરોઇડ અચાનક બંધ કરવાથી બી.પી. ભયજનક રીતે ઘટી જાય. આ કારણોસર સ્ટિરોઇડ વધારે માત્રામાં ફક્ત થોડાં અઠવાડિયાં જ આપવામાં આવે છે, છતાં અમુક રોગોમાં થોડીક જ માત્રામાં આપવાથી પણ ફાયદો થતો હોય છે. અમુક રોગોમાં લાંબો સમય સ્ટિરોઇડ દવા લેવી પડે છે. આ માટે નિયમિત ડૉક્ટરી સલાહ અત્યંત જરૂરી છે અને દેખરેખ તથા નિયમિત લેબોરેટરી તપાસ પણ જરૂરી બને છે. આવા સંજોગોમાં લાંબા ગાળાના સ્ટિરોઇડ કોર્સમાં નિષ્ણાત ડૉક્ટરો સ્ટિરૉઇડની આડઅસર અટકાવવા, સાથે સાથે નિયમિત રીતે કેલ્શિયમ, પોટેશિયમ, એસીડીટીની દવા, વિટામિન્સ તથા સોજા અટકાવવા માટે ડાઇયુરેટિક દવાઓ ચોક્કસ માત્રામાં આપતા હોય છે. દર્દીને ચેપ ન લાગે (ખાસ કરીને, ટીબીનો) તે માટે યોગ્ય સલાહસૂચનો અપાતાં હોય છે. ખોરાક માટે યોગ્ય માર્ગદર્શન અપાતું હોય છે. વખતોવખત ડાયાબિટીસની તપાસ, કેલ્શિયમ, લોહીમાં પોટેશિયમનું પ્રમાણ, બ્લડપ્રેશરની તપાસ આ બધું પણ નિષ્ણાત ડૉક્ટરો કરતા હોય છે અને તેમાં દર્દીએ સહકાર આપવો જરૂરી બને છે. આ સિવાય બીજી કેટલીક દવાઓ ન્યુરૉલૉજીના કેસોમાં લાંબા સમય સુધી વાપરવામાં આવે છે, જેમ કે એપિલેપ્સી (ખેંચ) માટે વપરાતી દવાઓ, માથાના દુખાવા માટેની દવાઓ, પાર્કિન્સોનિઝમ માટેની દવાઓ વગેરે. તેમાંની કેટલીક દવાઓ વિશે ટૂંકમાં જોઈશું. Jain Education International For Private & Personal Use Only On www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy