SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ તનાવ (સ્ટ્રેસ) ૨૫૩ ૨. પ્રાણાયામ : પ્રાણાયામ તેમ જ શ્વાસોચ્છવાસની કસરતો (બ્રીધિંગ એક્સરસાઇઝ)એ ત્વરિત તનાવની ક્ષણોમાં તેમ જ હંમેશના તનાવ સામેના રક્ષણમાં સરળ ઉપાય ગણી શકાય. ૩. કસરતઃ ચાલવું, દોડવું, ઍરોબિક કસરતો, જિમ્નેસ્ટિક, યોગાસનો, રમતો રમવી, તરવું વગેરે યોગ્ય માત્રામાં નિયમિત કરવાથી સ્ટ્રેસ જરૂર ઓછું થઈ શકે. આવી કસરતોનો સમય ૫ મિનિટથી શરૂ કરી ૪૦ મિનિટ સુધી વધારી શકાય. અઠવાડિયામાં ૪થી ૫ દિવસ નિયમિત કસરત કરવી જોઈએ. નાની નાની કસરતો તો કામની વચ્ચે પણ ૨-૫ મિનિટ માટે કરી શકાય, જેમ કે ગરદન ફેરવવી, હાથ અને કાંડાની કસરતો, ચહેરાની કસરતો અથવા ઘડીક ઊભા થઈ ર-૩ પગથિયાં ચઢવા-ઊતરવાં. ૪. બાયોફીડબેંક ? ક્રમશઃ શિથિલીકરણ (પ્રોગ્રેસિવ રિલેક્સેશન), હાસ્યચિકિત્સા (લાફટરથેરપી), પ્રેક્ષાધ્યાન, વિપશ્યના, સેલ્ફીહિપ્નોટિઝમ, સિસ્ટેમેટિક ડિસેન્સિટાઈઝેશન વગેરેથી પણ ઘણો ફાયદો થાય છે, એ એક વૈજ્ઞાનિક સત્ય છે. સંગીત ચિકિત્સા મનની શાંતિ, શિથિલીકરણ, આનંદની અનુભૂતિ તથા તણાવથી મુક્તિ માટે સંગીત સાંભળવું કે ગાવું કે કોઈ વાદ્ય વગાડવું)થી શ્રેષ્ઠ બીજું શું હોઈ શકે ? આહારમાં યોગ્ય ફેરફારો : પૌષ્ટિક ખોરાક, પ્રોટીનયુક્ત ખોરાક, ફળફળાદિ, યોગ્ય નાસ્તો અને ખોરાકમાં રેસાવાળા ખોરાકનો વધારે ઉપયોગ તનાવ (સ્ટ્રેસ) સામે રાહત આપે છે. પ્રજીવકો (વિટામિન્સ) તેમ જ ઍન્ટિઓક્સિડન્ટ દ્રવ્યો યોગ્ય પ્રમાણમાં લેવાથી પણ ફાયદો થઈ શકે. ચરબીયુક્ત, તીખાં અને અતિ ગરમ ખોરાકથી કે ફાસ્ટફૂડથી નુકસાન થાય છે. “જેવો આહાર તેવો વિચાર' એ ઉક્તિ અહીં યથાર્થ ઠરે છે. G. જરૂર પડ્યે ડોક્ટરની કે અન્યની સહાયઃ પ્રોફેશનલ વ્યક્તિની મદદ લઈ શકાય. સ્ટ્રેસને દૂર કરવા જુદાજુદા કોર્સ કરી શકાય, જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy