SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ સ્નાયુના રોગો (૨) ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ જેવી કે એઝાથાયોપ્રીન, માયકોફિલોનેટ, મિથોટ્રેક્સેટ (૩) સાયક્લોસ્પોરિન જેવી દવાઓથી આ રોગ મહદંશે કાબૂમાં લઈ શકાય, છતાં લાંબા ગાળે આ દવાઓની આડઅસરો થતી જોવા મળે છે. (બ) પ્લાઝમાફ્રેસિસ ? દર્દીના લોહીમાંથી ખરાબ પ્રોટીન દૂર કરવાની પ્રક્રિયા દ્વારા રોગ પર કાબૂ મેળવી શકાય. (ક) ઈમ્યુનોગ્લોબ્યુલિનઃ આ દવા શિરા (નસ)માં આપવાથી પણ ફાયદો થાય પણ આ સારવાર ખૂબ મોંઘી હોય છે. આ સાથે ફિઝિયોથેરપીનું મહત્ત્વ પણ ઓછું આંકી શકાય નહીં. રોજ નિયમિત ફિઝિયોથેરપી (કસરત) કરવાથી અમુક અંશે સ્નાયુઓને કૃશ થતા અટકાવી શકાય. આ રોગમાં માત્ર સામાન્ય દુખાવો થાય છે. તેમ માની રોગ વકરવાની રાહ જોયા કરતાં સત્વરે યોગ્ય તબીબની સલાહ લેવી વધારે અગત્યની છે. (G) એકવાયર્ડ માયોપથી : આ પ્રકારમાં સ્નાયુઓમાં જન્મજાત ગરબડ હાતા નથી પરંતુ થાઇરોઇડ હોર્મોન વધવા કે ઘટવાથી, પેરાથાઇરોઇડ હોર્મોન વધવાથી, વધુ પડતા સ્ટિરોઇડના સેવનથી કે અન્ય દવાઓની આડઅસરથી, ડાયાબિટીસની અપૂરતી સારવારથી, મૂત્રપિંડ (કિડની), યકૃત (લિવર)ની લાંબી બીમારીથી કે વધુ પડતા દારૂના સેવનથી અને વિટામિનોની ખામીથી એમ અનેક કારણોથી સ્નાયુઓ કમજોર પડી શકે. યોગ્ય નિદાનથી ખાતરી કરી સારવાર કરવાથી આ રોગમાં સુધારો થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy