SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો આ બારેય નસો-ચેતાઓ મગજમાં યોગ્ય સ્થાને – ચોક્કસ સ્થાનેથી નીકળે છે અને નિયત સ્થાને પહોંચે છે. જે નસો સંવેદના લઈ જાય તે sensory nerves છે અને તે નિશ્ચિત અંગ (જેમકે કાન, આંખોમાંથી નીકળી મગજમાં પહોંચે છે. જ્યારે મગજમાંથી ચેતા જે આજ્ઞા સ્નાયુઓ પર લઈ જાય (જેમકે ડોળાના સ્નાયુઓ, મોઢાના સ્નાયુઓ) તેને motor nerves કહે છે. શરીરના હલનચલનની ગતિવિધિઓ ત્રણ ચેતાસમૂહ (systems) દ્વારા થાય છે, જે પ્રકરણ ૮માં વિસ્તૃત રીતે દર્શાવ્યું છે. મગજને એનેટોમી (શરીરરચના)ની દૃષ્ટિએ તો આપણે જોઈ ગયા પણ તેની કેટલીક અદ્દભુત વિશિષ્ટતાઓ-ખાસિયતો છે જે મનુષ્યને સર્વ પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ બનાવે છે. મગજના કોષોમાં એક જાતનો સૂક્ષ્મ વિદ્યુતપ્રવાહ ઉદ્દભવ્યા કરતો હોય છે જેમાં એક સાતત્ય છે, લય છે. આ એક વિજનિક પ્રક્રિયા છે. આ પ્રવાહ રાસાયણિક રીતે એક કોષમાંથી બીજા કોષમાં પહોંચે છે અને આખા ચેતાતંત્રમાં ન્યુરોટ્રાન્સમીટર અને રિસેપ્ટરનું અજબનું નેટવર્ક છે જે સેકંડના ૧૦૦૦મા ભાગમાં એક માહિતી એક ભાગથી બીજા ભાગને પહોંચાડી શકે છે. આ એક જૈવિક-રાસાયણિક પ્રક્રિયા છે. મગજના કોષો અન્ય કોષોની જેમ પોતાનું ચયાપચય સંભાળે છે. આ એક જૈવિક (બાયોલૉજિકલ) પ્રક્રિયા છે. આહાર, નિદ્રા, ભય વગેરે મૂળભૂત સ્વાભાવિક વૃત્તિઓ (instincts) મગજ પાસે છે. ઉપરાંતમાં, વિચાર, બુદ્ધિ, વિવેકશીલતા, યાદદાસ્ત અને સર્જનાત્મકતા જેવાં અતિવિકસિત ઉપકરણો-અવધાનો મગજને મળેલાં છે અને સાથે લાગણી, ગુસ્સો, ગમો-અણગમો, પ્રેમ જેવી વિવિધ પ્રકારની સંવેદનશીલતા આપણા મગજને મળેલી છે. દૃષ્ટિ, સ્વાદ, ગંધ, સ્પર્શ અને શ્રવણ જેવી જ્ઞાનેન્દ્રિયો મગજની તહેનાતમાં છે. ભાષા દ્વારા આપણે એકબીજા સાથે સહેલાઈથી વિચારોની આપલે કરી શકીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy