SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ માયેસ્થેનિયા ગ્રેવિસ ૨૩૧ ‘માયેસ્થેનિયા ક્રાઇસિસ’(કટોકટીની સ્થિતિ)માં આવી જાય છે અને રોગ ત્રીજી, ચોથી કે અંતિમ કક્ષામાં આવે ત્યારે આ ઉપચાર એટલે કે પ્લાઝમાફેરેસિસ દ્વારા દર્દીની જિંદગી બચાવી શકાય છે. કેટલાક દર્દીઓમાં પ્લાઝમોફેરેસિસ એકથી વધુ વખત ક૨વાની પણ જરૂર પડે છે. ' એવો જ અતિ સચોટ પણ ખૂબ જ ખર્ચાળ ઉપચાર ઇમ્યૂનોગ્લોબ્યુલિને સા૨વા૨નો છે જેમાં સ્વસ્થ શરીરવાળા મનુષ્યોના લોહીમાંથી અથવા સિન્થેટિક રીતે એકત્ર કરેલું રોગપ્રતિકારક દ્રવ્ય જેને ઇમ્યૂનોગ્લોબ્યુલિન કહે છે તે દર્દીને પ્રચૂર માત્રામાં આપવામાં આવે છે. સામાન્ય રીતે ૪૦૦ મિ.ગ્રા. કિ.ગ્રા. દરરોજનાં લેખે આશરે ત્રણથી પાંચ દિવસ આ દવા આપવામાં આવે છે. તેનો અંદાજીત ખર્ચ આશરે રૂ. દોઢથી અઢી લાખ સુધી થઈ શકે છે. આ પ્રકારની સારવાર દ્વારા પણ રોગને ઝડપથી કાબૂમાં લાવી જિંદગી બચાવી શકાય છે. આ સારવાર પણ વારંવાર કરી શકાય છે. સર્જરી માયેસ્થેનિયા રોગમાં સર્જરી બે હેતુથી કરાય છે : (૧) એક તો આગળ જણાવ્યા મુજબ થાયમોમા નામની ગાંઠ હોય તો. (૨) ગાંઠ ન હોય પણ વ્યક્તિની ઉંમર ૪૫ વર્ષથી ઓછી હોય તો. આ સર્જરીને થાયમેક્ટોમી કહે છે. અને લાંબા ગાળે આના પરિણામ પણ બહુ સારાં મળે છે. એ પછી દવાઓ ક્રમશઃ બંધ પણ થઈ શકે છે. આમ ‘માયેસ્થેનિયા ગ્રેવિસ' એ પ્રમાણમાં અઘરો અને વિકટ રોગ છે. દર્દીએ દર્દીએ તેની માત્રા અને વધઘટ જુદીજુદી રહેતી હોવાથી જો તરત નિદાન કરીને નિષ્ણાત તબીબની દેખરેખ હેઠળ સારવાર કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy