SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો સારવાર : આ રોગની સારવારમાં એન્ટિકોલીનેસ્ટરેસ દવાઓ વપરાય છે, જેવી કે નીઓસ્ટિશ્મીન કે પાયરિડોસ્ટિમ્મીન, જે જ્ઞાનતંતુઓમાંથી સ્નાયુઓ તરફ જતા તરંગોના પ્રસારણને મજબૂત કરે છે. આથી એસિટાઇલ કોલિન નામનું તત્ત્વ વધુ સમય ઉપલબ્ધ રહે છે અને તેનાથી સ્નાયુઓની સંકોચનશક્તિ વધે છે. આ દવાની અસર દર્દી માટે ઘણી ફાયદાકારક હોય છે પણ તેનાથી દર્દી તેની બધી જ ક્રિયાઓ પૂર્વવત ક્ષમતાથી કરી શકતો નથી. થાયમસ ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી લેવાથી વધુ ફાયદો થાય છે. જો રોગના પ્રારંભિક તબક્કામાં આ ઑપરેશન થાય તો ૫૦થી વધુ દર્દીઓને ફાયદો થાય છે, દર્દીની ઉંમર ૪૫ વર્ષથી ઓછી હોય ત્યારે આ ઓપરેશનની ખાસ સલાહ અપાય છે. તેનાથી ઉર્દુ, પ૦% જેટલા દર્દીઓમાં સ્ટિરોઇડ જૂથની દવાઓથી ફાયદો થાય છે. કેટલાક દર્દીઓને એઝાથાયોપ્રિન નામની દવાથી રાહત થાય છે પરંતુ લાંબો સમય લેવાથી તેની આડઅસરો પણ જોવા મળે છે. નવી દવાઓમાં માયકોફિનોલેટ દવા મુખ્ય છે. આ રોગની વધુ પડતી અસર ધરાવતા દર્દીઓમાં પ્લાઝમાફેરેસિસ નામનો ઉપચાર કરવામાં આવે છે. તેમાં દર્દીનું લોહી શુદ્ધ કરી તેને પાછું શરીરમાં ચઢાવવામાં આવે છે. આ ક્રિયાથી સ્નાયુ તરફ જતા તરંગોના પ્રસારણમાં ખામી ઉત્પન્ન કરતા એસિટાઇલ કોલિન પ્રતિદ્રવ્યો(એન્ટિબૉડિઝ) તથા અન્ય પદાર્થો દૂર થાય છે. વાસ્તવમાં રોગના કોઈપણ તબક્કામાં આ સારવારની પદ્ધતિથી દર્દીને ફાયદો થાય છે. ન્યુરોલોજિસ્ટ નક્કી કરે છે કે ક્યા દર્દીમાં ક્યારે આનો ઉપયોગ કરવો. રોગની ગંભીર સ્થિતિમાં કોઈ દવાઓ અસર કરે નહીં ત્યારે આ ઉપચાર કરવામાં આવે છે. ક્યારેક દર્દી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy