SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ માયેસ્થેનિયા ગ્રેવિસ માયેસ્થેનિયા ગ્રેવિસ એક કષ્ટસાધ્ય, આજીવન ચાલતો જ્ઞાનતંતુ તેમ જ સ્નાયુઓનો રોગ છે. આ રોગમાં સ્નાયુઓમાં વખતોવખત નબળાઈ આવી જાય છે. ઐચ્છિક સ્નાયુઓ અસાધારણ ઝડપથી થાકી જાય છે, અસ્થિતંત્ર સાથે સંકળાયેલા સ્નાયુઓ કે જે આંખો, મુખ, જીભ તથા હાથપગના હલન્નચલનનું નિયંત્રણ કરે તે સ્નાયુઓ આ રોગમાં અસર પામે છે. ચેતા અને સ્નાયુની વચ્ચેની કડીને ન્યુરૉમસ્ક્યુલર જંકશન કહે છે જે તરંગોને સ્નાયુ સુધી પહોંચાડે છે. જ્ઞાનતંતુઓમાંથી સ્નાયુઓ સુધી પહોંચતાં આ તરંગોના પ્રસારણની ખામીને લીધે આ રોગ થાય છે, જોકે તેમાં જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ પોતે તો ખામીરહિત હોય છે. ૨૦ આ રોગની પ્રાથમિક શરૂઆત મુખ્યત્વે સ્ત્રીઓમાં ૪૦ વર્ષની ઉંમર પહેલાં અને પુરુષોમાં ૪૦ વર્ષ પછી થાય છે, જો કે બાલિકાઓમાં આ રોગ ભાગ્યે જ જોવા મળે છે. આ વ્યાધિ ચેપી કે વારસાગત નથી. તબીબી દૃષ્ટિએ ચાર તબક્કાઓમાં વહેંચાયેલ આ રોગમાં સૌ પ્રથમ ધ્યાન પર આવતું લક્ષણ આંખોના સ્નાયુઓની નબળાઈ છે (Grade-1). અંશતઃ દર્દીઓમાં આ રોગ આંખ પૂરતો સીમિત રહે છે પણ મોટે ભાગે સમય જતાં તે હસવાની, ચાવવાની, ગળવાની, બોલવાની અને હાથપગના હલનચલનની ક્રિયા કરતા સ્નાયુઓને અસર કરે છે અને અંતે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરતા સ્નાયુઓ આ રોગનો શિકાર બને છે અને જીવનનું જોખમ ઊભું થાય છે (Grade-4). મુખ્ય લક્ષણો: (૧) એક અથવા બન્ને પોપચાં ઢળી જવાં (૨) આંખ-નજર આમતેમ ફરકાવવામાં મુશ્કેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy