SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૫) ડાયાબિટીસથી થતી ન્યુરોપથી કે શરીરના અન્ય રોગોથી થતી ન્યુરોપથી - કિડનીની બીમારી - વાક્યુલાઈટિસ (કોલેજન ડિસીઝ) (૬) કેન્સરથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થતી ન્યુરોપથી (૭) માયલોમા જેવા રોગોથી થતી પેરાપ્રોટીનિમિક ન્યુરોપથી (૮) આનુવાંશિક ન્યુરોપથી (હેરિડિટરી મોટર સેન્સરી ન્યુરોપથી) (૯) નસ પર દબાણ આવવાથી થતી ન્યુરોપથી (એન્ટેપમેન્ટ ન્યુરોપથી) (૧૦) ઑટોનોમિક ન્યુરોપથી ટૂંકમાં કહેવું હોય તો વારસાગત કારણોથી શરૂ કરીને વાયરસ સુધી અને કેન્સરથી શરૂ કરીને દવાઓની આડઅસર સુધી, શરીરના કોઈ પણ અંગના રોગોના કારણથી શરૂ કરીને પોષક તત્ત્વોની ઊણપ સુધી કે લેપ્રસીથી માંડીને ડાયાબિટીસ સુધી એમ અનેકાનેક કારણોથી નસો-નર્સ પર અસર આવી શકે અથવા બીજી રીતે કહીએ તો નર્સ ઉપર અસર થઈ હોય તો ક્વચિત્ આખા શરીરમાં શોધખોળ કરવી પડે કે રોગનું મૂળ ક્યાં છે અને તેમ છતાં ૨૦થી ૩૦% પૉલીબ્યુરોપથીના કેસમાં ન્યુરોપથીનું સચોટ કારણ પકડી શકાતું નથી, તે અદ્યતન ચિકિત્સા પદ્ધતિ માટે એક પડકારરૂપ સમસ્યા છે. આમ તો યુરૉપથીના અસંખ્ય કારણો છે પણ આપણા દેશમાં પ્રચલિત અને મહત્ત્વની ન્યુરોપથી વિશે સંક્ષિપ્તમાં નિરૂપણ કરવાનો પ્રયાસ કર્યો છે. (૧) એ.આઈ.ડી.પી. : એ.આઇ.ડી.પી. એટલે અંક્યુટ ઈન્ફલેમેટરી ડિમાલિનેટિંગ પૉલિરેડિક્યુલોન્યુરોપથી. આ સિવાય તેને જી.-બી.-એસ. અથવા ગુલીયનબારે-સ્ટ્રોહલ સિન્ડ્રોમ પણ કહેવાય છે. આ રોગમાં કોઈ કારણસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy