SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો પેરીફેરલ ન્યુરોપથીના પણ કેટલાક મુખ્ય પ્રકાર છે જેને આપણે પૉલીન્યુરૉપથી, મોનોન્યુરોપથી, મૉનોન્યુરૉપથી મલ્ટિપ્લેક્સ અને એન્ટેપમેન્ટ ન્યુરોપથી એમ કહીશું. અનેક રોગો અને અન્ય કારણોથી આવી પેરીફેરલ ન્યુરોપથી થાય છે. કેટલીક ન્યુરોપથી એવી હોય છે જેમાં પ્રાથમિક રીતે ચેતાતંત્રની બીમારી હોય છે જેમ કે વારસાગત ન્યુરૉપથી (HMSN-1 to HMSN-VI) અથવા તો એ.આઈ.ડી.પી. કેટલાકમાં ચેતાતંત્રીય તેમજ બીજાં તંત્રના રોગો હોય છે, જેમ કે કેન્સરને લગતી ન્યુરોપથી, તો કેટલાકમાં અન્ય રોગના પરિણામે ચેતાઓ પર અસર આવે છે, જેમ કે ડાયાબિટીસ. એકદમ ઝડપથી થતી અને પ્રસરતી ન્યુરોપથીમાં ઘણી વાર હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી બને છે, જેમ કે એ.આઈ.ડી.પી. મોનોન્યુરોપથીમાં એક અથવા વધુ જુદી જુદી ચેતાઓની કાર્યશક્તિ બગડે છે. સામાન્યતઃ તેમાં સાથે દુઃખાવો પણ હોય છે. એન્ટેપમેન્ટ ન્યુરોપથીમાં એક કે વધુ નસ તેના નિર્ધારિત માર્ગમાં વચ્ચે ક્યાંક દબાતી હોય છે, જેમ કે કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં મીડીઅન નર્વ હથેળીના મૂળ આગળ દબાય. પૉલીન્યુરોપથીમાં સામાન્ય રીતે શરીરની બે બાજુ સરખા પ્રમાણમાં સંવેદનાઓ ઘટે, સ્નાયુઓની કાર્યશક્તિ ઘટે અને બીજી કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે, જેમ કે પેશાબ-ઝાડાની તકલીફો ઊભી થાય. ન્યુરોપથી સામાન્યતઃ બે પ્રકારની છે : (અ) એક્ષોનલ ન્યુરોપથી: પગનાં તળિયાં અને હાથની હથેળીથી ઝણઝણાટી, બળતરાની શરૂઆત થઈ, રોગ ધીમે ધીમે ઉપરની બાજુ પ્રસરે અને સ્નાયુઓ પણ કમજોર થાય અને સંવેદનાઓ ઘટતી જાય. મુખ્યત્વે ચયાપચયની પ્રક્રિયાઓના રોગો (metabolic diseases), જેમ કે ડાયાબિટીસ, કિડની, લિવર વગેરેની તકલીફો તેમ જ કેટલાંક વિટામિનોની ઊણપો તેમજ ભારે ધાતુઓ, ઝેરી પદાર્થો કે રસાયણો તેમ જ મુખ્યત્વે દવાઓની આડઅસર(કેટલાંક એન્ટિબાયોટિક, કૅન્સર Jain Education International For Private & Personal Use Only www.jalnelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy