SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો તે ADEM નામની બીમારી હોઈ શકે. તેમાં મોટા કે નાના મગજને લગતા અથવા કરોડરજ્જુને લગતા અથવા બંનેને લગતાં લક્ષણ-ચિહ્નસમૂહો જોવા મળે. વાયરસની બીમારીમાં સપડાયેલા બે હજારમાંથી એક અથવા બે દર્દીને આવી તકલીફ થઈ શકે. ઓરી કે હડકવાની (પહેલાં વપરાતી) રસી પછી પણ ક્યારેક આવો રોગ થઈ શકે. ક્વચિત્ ધનુર્વાની રસીથી પણ આ રોગ ADEM થવાના કેસ નોંધાયા છે. નાનાં બાળકોમાં ઘણી વાર આ રોગનું પ્રમાણ વધારે હોય છે અને કેટલાક કેસોમાં હંમેશ માટે યાદદાસ્ત પર અસર, વર્તણૂકની ખોડ રહી જાય કાં તો ખેંચ-વાઈની બીમારી ચાલુ થઈ જાય. પુખ્ત ઉંમરના લોકોને આમાં જલદી અને વધુ ફાયદો થઈ જતો હોય છે. નાના મગજની તકલીફમાં સુધારો વધુ સારો થતો હોય છે. આ રોગ વાયરસથી થતા મગજના સીધેસીધા નુકસાનથી જુદો છે, કેમ કે મગજની માઈક્રોસ્કોપિક કે અન્ય તપાસમાં વાયરસ પકડાતો નથી. સામાન્યતઃ વાયરસનો રોગ થયા પછી થોડાક દિવસો (૨થી ૨૦ દિવસ) પછી આ રોગ શરૂ થાય છે. આ બધા પરથી એવું મનાય છે કે આ રોગ શરીરની રોગપ્રતિકારક-શક્તિમાં ઉદ્ભવેલ ખામીને લીધે થતો રોગ છે (immune-mediated), જોકે નવી અત્યાધુનિક પદ્ધતિથી DNAના ઘટકોની વાયરસ સાથેની કડી સાંકળી શકાય છે. લક્ષણો-ચિહનોઃ (૧) એન્સેફેલાઈટિસ પ્રકારની આ બીમારીમાં અતિશય બેચેની, મૂંઝવણ-અસમંજસ, વધુ પડતી ઊંઘ અને ખેંચ આવી શકે. સાથે સાથે માથું દુઃખવું, તાવ આવવો વગેરે થાય. હલનચલનમાં અસ્થિરતા અને ઝટકા પણ આવે. ગંભીર કેસોમાં ભાન-સતર્કતા ઘટે, દર્દી બેહોશ થઈ જાય તથા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા અનિયમિત થઈ જાય. WWW.jainelibrary.org ::
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy