SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ મગજ અને જ્ઞાનતંતુના રોગો આ રોગનાં કારણો મગજના ઘણાબધા રોગોની જેમ અટપટાં છે અને હજી પણ બરાબર જાણી શકાયાં નથી. કેટલાક કેસોમાં રોગ આનુવંશિક છે પણ કેટલાય કેસોમાં વારસાગત કારણ જણાતું નથી હોતું. વાયરસની એલર્જી તથા પર્યાવરણનાં કારણો તેમજ કદાચ આહાર-વિહારની ગરબડને લીધે આ રોગ થઈ શકે. રોગનાં લક્ષણો • એક અથવા વધારે અંગોનો લકવો થવો : ૩૫% કેસોમાં • દૃષ્ટિની ખામી કે એક વસ્તુ બે દેખાવી : ૩૬% કેસોમાં • શરીરના અમુક ભાગોમાં સંવેદના જતી રહેવી (૩૭% કેસોમાં) અથવા ખોટી સંવેદના થવી જેમ કે સોયો ભોંકાતી હોય તેવું લાગવું (૨૬% કેસોમાં) • શરીરના સંતુલનમાં વિક્ષેપ, ચક્કર આવવા, ઝાડા-પેશાબની તકલીફો થવી. • યાદદાસ્ત ઓછી થતી જવી તથા ખેંચો આવવી. • આ ઉપરાંત હાથપગની ધ્રુજારી, દુ:ખાવો, જાતીય જીવનની તકલીફો તેમજ ઉન્માદથી માંડીને હતાશા જેવા માનસિક પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ બધાંમાંથી કોઈ એક અથવા વધારે લક્ષણો સાથે આ રોગ શરૂ થઈને કાં તો..... (અ) સંપૂર્ણ મટી જાય અને પછી વારે વારે ઊથલા મારે (RRMS, Relapsing and Remitting MS) અથવા (બ) એક વાર લક્ષણ શરૂ થયા પછી રોગ કાયમ માટે વધતો જાય (PPMS, Primary Progressive MS) અથવા (ક) (અ) કક્ષાવાળો રોગ થોડાં વર્ષો પછી કાયમી થઈ જાય (SPMS, Secondary Progressive MS) અથવા (ડ) એકવાર લક્ષણ શરૂ થયા પછી રોગ કાયમ માટે વધતો જાય અને વચ્ચે ઉથલા મારે (PRMS, Progressive Relapsing MS) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy