SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ ••• કરોડરજ્જુના રોગો (માયલોપથી) (૧) કરોડરજ્જુમાં વચ્ચોવચ ગાંઠ થાય અથવા વચ્ચે પાણી ભરાય તેને ઈમેલરી પ્રકારના કરોડરજજુના રોગો કહેવાય, જે મેડિકલ ન્યુરૉલૉજી તપાસમાં તરત પકડી શકાય અને એમ.આર.આઈ. દ્વારા ખાતરી કરી શકાય. (૨) કરોડરજજુનાં આવરણોની ગાંઠ (મનિજિઓમા) કે કરોડરજ્જુમાંથી નીકળતી ચૈતાની ગાંઠ (શ્વાનોમા). (૩) કરોડરજ્જુનાં આવરણો પર કૅન્સર અથવા લિમ્ફોમની ગાંઠો. (૪) કરોડરજ્જુનાં આવરણોની બહારની ગાંઠ : લાપોમા વગેરે. (૫) કરોડના મણકાનું ફ્રેકચર, મણકાની ગાંઠો (બોન ટ્યુમર), સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, મણકામાં પરુ થવું, જેમ કે ટી.બી., બે મણકા વચ્ચેની ગાદી ખસવી (ડિસ્ક પ્રોલેપ્સ), ફૂલોરોસિસથી મણકો ઘસાવો. આ બધા દ્વારા કરોડરજ્જુ પર દબાણ થાય છે જે નીચેના ચિત્રમાં જોઈ શકાય છે. આ બધામાં વાહન-અકસ્માતોમાં થતી કરોડરજ્જુની ઈજા સૌથી વધુ જોવા મળે છે અને તેની સારવાર ઘણી વાર મુશ્કેલ થતી હોય છે. તે પછી સર્વાઇકલ સ્પોન્ડિલોસિસને લીધે કરોડરજ્જુ તથા નસોમાં થતા દબાણનાં લક્ષણો-ચિહ્નો ખૂબ પ્રચલિત છે, જેને માટે ઑપરેશનની જરૂર પડી શકે છે. તે મોટે ભાગે વયસ્ક વ્યક્તિઓમાં થાય છે. (૧) સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ ? ઉંમર વધતાં કરોડના મણકામાં ઘસારો પેદા થાય છે અને એક પ્રકારનો સોજો ઉત્પન્ન થાય છે. ઘસારાની પ્રતિક્રિયા સામે કેટલીક જગ્યાએ હાડકાનો વધારોવૃદ્ધિ osteophyte થાય છે અને બે મણકા વચ્ચેની ગાદી ઘસાતી જાય છે. તેમાંનું જિલેટીન મટિરિયલ ગાદી ઘસાતાં | *સર્વાઈકલ સ્પોન્ડિલોસિસ Jain Education International For Private & Personal Use Only -- jain lib. y.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy