________________
૧૭૮
મગજ અને જ્ઞાનતંતુના રોગો ડૉક્ટરો ભારતદેશમાં ઠેરઠેર છે અને અમદાવાદમાં પણ છે એ આપણું સદ્ભાગ્ય છે.
ઑપરેશન પછી ફિઝિઓથેંરપીની જરૂર પડે છે. કોઈ પ્રકારની આડઅસર હોય તો તેની સારવાર કરવામાં આવે છે. ગાંઠની બાયોપ્સીમાં જો કેન્સર જણાઈ આવે તો, કેમોથેંરેપી, રેડિએશન વગેરે દ્વારા શક્ય તેટલી રીતે દર્દીને બને તેટલો સાજો કરવાના પ્રયત્નો કરવામાં આવે છે.
આમ, બ્રેઇન ટ્યુમર એ ચોક્કસ તકલીફ આપનારો રોગ છે તેની ના નહિ પણ મોટા ભાગના અને ખાસ કરીને કૅન્સર વગરના દર્દીઓમાં પરિણામ ઘણું જ સારું મળી શકે. તે માટે જરૂર છે તેનાં લક્ષણો-ચિતોને ઝડપથી ઓળખી, તેમનું વિશ્લેષણ કરીને, તાત્કાલિક નિષ્ણાત પાસે નિદાન કરાવી ઝડપી સારવાર કરવાની; એવા સમયસરના કેસોમાં સંપૂર્ણ (કે વધારે-વિપુલ પ્રમાણમાં) સફળતા મળી શકે છે.
| આટલું જરૂર જાણો
મગજમાં ભિન્ન-ભિન્ન કારણોથી અલગ-અલગ પ્રકારની ગાંઠ થાય છે, જે કદ, આકાર, સ્થાન, ગુણવત્તા અને હિસ્ટોલોજી પ્રમાણે ખાસ પ્રકારનાં લક્ષણો-ચિહ્નો ઉત્પન્ન કરે છે. માથામાં દુખાવો થવો, અંધારાં આવવાં, બેચેની થવી, પક્ષાઘાતની અસર થવી, યાદશકિત પર અસર થવી, બેભાનાવસ્થા, ખેંચ આવવી વગેરે મગજમાં થતી ગાંઠનાં લક્ષણો હોઈ શકે છે. આધુનિક સ્ટિરિઓટેક્સિક પદ્ધતિ અને માઈક્રો ન્યુરો સર્જિકલ પદ્ધતિમાં સુધારા થવાથી તથા રેડિયેશન કિમોથેરાપીમાં વિકાસ થવાથી મગજની ગાંઠના દર્દીઓનું વર્તમાન તથા ભવિષ્ય ઉજ્વળ છે.
Fી
Jain Education International
. (0 For private Personal Use Only
www.jainelibrary.org