SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મગજના ચેપી રોગો : મેનિન્જાઈટિસ, એન્સેફેલાઈટિસ ૧૫૯ આ ઝેરી દ્રવ્ય (એક્ઝોટોક્ષિન) સ્નાયુ અને ચેતાઓ-નસોની ઉત્તેજના કરે છે અને તેનાથી ટીટેનસ રોગ થાય છે. તેમાં સ્નાયુ જકડાઈ જાય છે, જડબું બરાબર ખૂલી શકતું નથી (lock jaw). મોઢું, ગરદન અને પીઠના તથા અન્ય ઐચ્છિક સ્નાયુઓ જકડાઈ-ઝલાઈ જાય છે. શરૂઆતમાં સામાન્ય તકલીફથી માંડીને છેવટે કલાકો કે દિવસોમાં એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્નાયુઓ સતત્ ઉત્તેજિત રહે છે અને ઝાટકા (spasm) આવે છે અને અંતે શ્વાસના તથા ગળાના સ્નાયુઓ ઉપર અસર થાય છે. ક્યારેક ફક્ત ઘા પૂરતો જ ટીટેનસ સીમિત રહે છે; તેમાં દર્દીને સુધારો થવાની વધુ શક્યતા રહે છે, પણ અગાઉ જણાવ્યા પ્રમાણે શ૨ી૨માં બધે પ્રસરેલા ટીટેનસમાં મૃત્યુનો દર ટ્રીટમેન્ટ કરવા છતાં આશરે ૬૦ % સુધી પહોંચે છે. * સારવારઃ એન્ટીટીટેનીક સીરમ (૩,૦૦૦થી ૧૦,૦૦૦ યુનિટ)થી ટ્રીટમેન્ટની શરૂઆત કરવામાં આવે છે. ઘાને બરાબર સાફ કરીને આજુબાજુ સર્જિકલ ડ્રેસિંગ કરવામાં આવે છે અને જો શક્ય હોય તો ડ્રેસિંગ ખુલ્લું રાખવું જોઈએ. પેનિસિલીન આ રોગ માટે અકસીર ઍન્ટિબાયૉટિક છે જે ૧૦થી ૧૪ દિવસ આપવામાં આવે છે. પેનિસિલીનની ઍલર્જી હોય તેને ઇરીથ્રોમાયસીન અથવા ટેટ્રાસાયક્લિન આપી શકાય. દર્દીને અંધારા રૂમમાં રાખી, ઝાટકા અટકાવવા સતત I.V. (ઇન્ટ્રાવેનસ) ડાયાઝાપમ બાટલામાં ઔષધરૂપે યોગ્ય માત્રામાં આપવામાં આવે છે. ક્યારેક વૅન્ટિલેટર પર મૂકીને ન્યુરૉમસ્ક્યુલર બ્લૉકિંગ પણ કરવામાં આવે છે. અનૈચ્છિક સિસ્ટમની અનિયમિતતાને લીધે બ્લડપ્રેશરની વધઘટ, તાવ અને હૃદયની તકલીફો પણ થઈ શકે તો તેની કાળજીપૂર્વક સારવાર કરવી પડે. સારવાર કરતાં અટકાવ (prevention) વધારે સરળ અને ઇચ્છનીય છે. ટીટેનસ રોકવા માટે રસીકરણ : આ એક બહુ જ મહત્ત્વની અને જરૂરી પ્રક્રિયા છે જેનાથી અનેક જિંદગીઓ બચાવી શકાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy