SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ - Aક્ષિત wAીકર ૧૧ ) ૧૫૮ મગજ અને જ્ઞાનતંતુના રોગો ઇચ્છનીય છે પરંતુ તે પછી પણ લઈ શકાય. કેટલીક વાર ક્લોરોક્વિનની ૨-૪ ગોળી લઈને આવેલ દર્દીના લોહીની તપાસમાં કાંઈ મળતું નથી. આવા કેસમાં લક્ષણોને વધુ મહત્ત્વ આપી સારવાર પૂરી કરવી પડે છે. લક્ષણો પરથી મલેરિયાની સંભાવના વધુ લાગે તો તેની પૂરી સારવાર આપવી પડે અને છતાં તાવ ન મટે તો તાવનું કારણ શોધવા વધુ તપાસ કરવી અને જે કારણ નીકળે તેની દવા કરવી તે વધુ હિતાવહ છે. (૬) ન્યુરોસિસ્ટિસરકોસિસ : મગજમાં થતા પૅરૅસાઇટિક રોગોમાં એક અતિજાણીતો અને તબીબોને મૂંઝવતો આ એવો રોગ છે કે જેમાં મગજના સી.ટી.સ્કેનમાં ટી.બી.ના જેવી ગાંઠો (ringenhancing lesions) દેખાય છે. એમ કહેવાય છે કે આપણા દેશમાં યુવાન વ્યક્તિઓને ખેંચ (ફિટ) ન્યુરોસિસિરકોસિસ આવવાનું સૌથી અગત્યનું કારણ આ સિસ્ટિસરક્સ નામનું પૅરૅસાઇટ છે, જે માંસ કે ધોયા વગરના સલાડ ખાવાથી થઈ શકે છે. આમાં ખેંચ (ફિટ) અટકાવવાની દવા ઉપરાંત રોગ મટાડવા માટે આલ્બન્ડેઝોલ કે પ્રેઝિક્વોન્ટાલ નામની દવાઓ જરૂરી માત્રામાં ન્યુરોલૉજિસ્ટ આપે છે. માંસ ન લેવું અને સલાડ ધોઈ-સાફ કરી, શક્ય હોય તો કાચું ન ખાતાં, થોડા ધીમા તાપે ગરમ કરીને ખાવું એ આ અતિપ્રચલિત રોગને ફેલાતો અટકાવવા માટે પૂરતું છે. (૦) ટીટેનસ (હનુ): આ રોગ ક્લોસ્ટ્રીડીયમ ટીટેની નામના ગ્રામપોઝિટિવ જંતુથી ઉદ્ભવતાં ઝેરી દ્રવ્યોથી થાય છે અને આ જંતુ શરીરના ઘામાંથી અંદર પ્રવેશે છે. . ' ' કે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www.j
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy