SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નિદ્રા-વિકાર અને સારવાર - ૧૩૫ ગંભીર શારીરિક બીમારીઓ જેવી કે હૃદયરોગ, લકવો, કેન્સર વગેરે થઈ જશે તેવી અકારણની ચિંતા અને ભય દૂર કરવા જોઈએ. – સાથે ધ્યાન, ભ્રામરી વગેરે પ્રાણાયામ, હળવું સંગીત-વાચન ઊંઘ માટે મદદરૂપ છે. કેટલીક વાર અનિદ્રાની સારવાર કર્યા બાદ જ્યારે દવાઓ બંધ કરવામાં આવે છે ત્યારે મૂળ રોગ હોય તે કરતાં પણ વધારે વકરી શકે છે તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. (૨) અસ્થિર પગ અને પગનું હલનચલન : (Restless legs syndrome and periodic leg movement) : અસ્થિર (restless) પગનાં લક્ષણો તરીકે જણાતો વિકાર હંમેશાં સમયસરની ઊંઘમાં વિક્ષેપ કરે છે. આ પ્રકારમાં દર્દી ‘ઘૂંટણીએ ચાલવાથી થતા દુખાવા જેવો દુખાવો પગનાં સાથળ અને પીંડીઓમાં થાય છે તેવી ફરિયાદ કરે છે. આ લક્ષણોમાં પગના સ્થાનની હેરફેરથી થોડો સમય રાહત પણ થાય છે. આ લક્ષણ આમ તો કુદરતી છે પણ ક્યારેક પેરીફેરલ ન્યુરોપથી (ન્યુરાઈટીસ)નો નિર્દેશ કરે છે. આના જેવો જ બીજો વિકાર અનિદ્રામાં વખતોવખત પગની અસ્થિર હેરફેરથી થાય છે, જે દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ માટે કારણભૂત છે. લોહતત્ત્વની ઊણપ (એનિમિયા)થી પીડાતા દર્દીઓમાં આ રોગ વધુ પડતો જોવા મળે છે. આવાં દર્દીઓમાં એનિમિયાની સારવાર ઘણી ઉપયોગી સાબિત થાય છે. ઉપચાર : ડોપામિનર્જિક દવાઓ, ઑક્સિકોડોન, ગાબાપેન્ટિન, તથા લોહતત્ત્વની ઊણપની સારવાર (૩) ઊંઘમાં શ્વાસ રૂંધાવો : (Sleep Apnea Syndrome) એના મુખ્યત્વે બે પ્રકાર છે : (a) OSA (b) CSA (a) Obstructlve Sleep Apnea : ઊંઘમાં નસકોરાં બોલવા; ઊંઘમાં શ્વાસ રોકાઈ જવો અને દિવસે વધારે પડતી ઊંઘ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy