SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૨) ખાદ્ય પદાર્થની એલર્જી, સ્થળ ફેર, વાતાવરણની ફેરબદલ કે ઊંઘની શરૂઆત ન થવી જેવાં બાહ્ય પરિબળોના લીધે અનિદ્રા. (૩) શિફ્ટમાં કામ કરવું, ટાઈમ ઝોનમાં ફેરફાર કે ઊંઘવા-જાગવાની - અનિયમિત પદ્ધતિના કારણે અનિદ્રા. અનિદ્રાની આડઅસરો : જો અનિદ્રાની બીમારી લાંબા સમય સુધી ચાલે તો નવાં સંશોધનો મુજબ દર્દીને શારીરિક અને માનસિક ઘણું નુકસાન થઈ શકે છે, જેમકે અતિચિંતા, નીરસતા (ડિપ્રેશન), ડાયાબિટીસ, મેદસ્વિતા, બ્લડપ્રેશર, હૃદયરોગ થવો, ખેંચના હુમલા શરૂ થઈ જવા કે વધવા, આત્મહત્યાની ઇચ્છા થવી કે નશીલી દવાઓની લત પડી જવી. તેથી જ અનિદ્રાની યોગ્ય સારવાર ખૂબ જરૂરી છે.' અનિદ્રાની સારવાર : સામાન્ય રીતે માંદગી કે અન્ય અસામાન્ય સંજોગોમાં અલ્પ સમય માટે મુખ્ય દવાની સાથે ઉપશામક કે નિદ્રાપ્રદ દવા સારવાર માટે સૂચવવામાં આવે છે. જે દર્દીઓને ઊંઘ ન આવતી હોય કે ઊંધ જળવાઈ રહેતી ન હોય તેમને ઝડપી અસર કરે તેવી ઊંઘની દવા ઉપયોગી છે (ઝોલ્પીડેમ, ફલુરાઝપામ, ટ્રાયઝોલામ). જે દર્દીઓ લાંબા સમયથી અનિદ્રાથી પીડાતા હોય તેમને નિદ્રાપ્રદ ઉપશામક દવાઓ લાંબા સમય સુધી આપવી જોઈએ નહીં, પરંતુ અનિદ્રાનું કારણ શોધી કાઢવું જોઈએ. આ પ્રકારનાં દર્દીઓને સૂવાના સમય સાથે દિનચર્યાનું સુઆયોજન કરવા તથા દિવસમાં શારીરિક રીતે સક્રિય રહેવા તથા સૂતાં પહેલાંના ત્રણ કલાક પહેલાં થોડો વધારે શ્રમ-વ્યાયામ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. તનાવથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનિદ્રાની સારવાર માટે નિદ્રા ઘટાડી દે તેવાં પરિબળોમાં ફેરફાર કરવો જોઈએ જેમ કે : – કેફીનયુક્ત પીણાં, સ્ટીરોઈડ તથા મગજને ઉત્તેજિત કરનારી દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ. - તમાકુ તથા બીડી-સિગારેટનું સેવન પણ અનિદ્રા કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy