SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિભ્રંશ - મતિભ્રંશ (ડિમેન્શિઆ) યાદશક્તિ વધારવાના ઉપાયો મિત્રો બનાવો, સામાજિક સંબંધો કેળવો. સર્જનાત્મક અભિગમ-પોઝિટિવ થિંકિંગ અપનાવો. • • નિયમિત શારીરિક-માનસિક વ્યાયામ કરો. વિટામિનો અને ખનિજતત્ત્વોથી સમૃદ્ધ સમતોલ આહાર લો. વધારે પડતો ચરબીયુક્ત આહાર ટાળો. વિધાર્થીઓ માટે સ્મરણશક્તિમાં વૃદ્ધિ કરવાની સરળ પદ્ધતિ ઃ ૧૨૭ અભ્યાસ કરતી વેળા તમારે જરૂરી પાઠ્યપુસ્તક, પેન, નોટ, અન્ય સાહિત્ય સાથે જ રાખવું, જેથી વારંવાર ઊભા થવું પડે નહીં. શક્ય હોય ત્યાં સુધી વાચનની જગ્યા એક જ રાખવી. વાચનરૂમ હવાઉજાસવાળો અને શાંતિભર્યો હોય તે જરૂરી છે. ત્યાં ટી.વી. અને ટૅપરેકૉર્ડર વગેરે ખલેલજનક સામગ્રી ન હોય તેનું ધ્યાન રાખવું. અભ્યાસ દરમિયાન એકાગ્રતા જાળવવા મોબાઈલ, ટેલિફોન વગેરેથી પણ શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું. ક્યારેય સૂતાં-સૂતાં કે આડી અવળી અંગમુદ્રામાં વાંચશો નહીં, પલાંઠી વાળીને બેસવું અથવા ટેબલખુરશીનો ઉપયોગ કરવો. નિયમિત અભ્યાસ માટે સમયપત્રક બનાવી તેને ટેબલ પર કે ભીંત પર રાખો. અભ્યાસ સમયે તમને કોઈ ખલેલ ન પહોંચાડે તે માટે માતાપિતા તથા મિત્રને તેની જાણ કરો. મનથી ઉત્સાહપૂર્વક અભ્યાસ કરો. અભ્યાસ શરૂ કરતાં પહેલાં અને અભ્યાસ કર્યા બાદ એક મિનિટ આંખો બંધ રાખી ધીમે ધીમે ઊંડા શ્વાસ લો. ખાસ કરીને અઘરા વિષયના અભ્યાસ બાદ પાંચ મિનિટ માટે ઊંડા શ્વાસ લો, જેથી મનની એકાગ્રતા વધશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy