SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો કે કડકપણું આવે, જ્યારે અંતિમ તબક્કામાં દર્દી-પથારીવશ હોય. જે તે અવસ્થામાં દર્દીને કઈ દવા આપવી તે ન્યુરૉફિઝિશિયન નક્કી કરતા હોય છે. અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે કોઈ પણ બે દર્દીની સારવાર માટે દવાઓ એકસરખી જ હોય તેવું નિશ્ચિત નથી હોતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ રોગના નિર્મુલન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ શોધોના કારણે તબીબો તથા દર્દીઓમાં આશાનું કિરણ જણાયું છે. પ્રેમિપ્રેક્ષૉલ, રોપીનીરોલ, ટૉલકેપોન, ઍન્ટાકેપોન જેવી દવાઓ અતિઅસરકારક છતાં ઓછી આડઅસરવાળી જોવા મળે છે જેનાથી દર્દીને ખૂબ જ રાહત થઈ શકે. અત્યાર સુધી આ દવાઓ આપણા દેશમાં ન બનતી હોવાથી તે ઘણી ખર્ચાળ હતી પરંતુ તાજેતરમાં રોપીનીરોલ (Ropark), ùulumet (Premirole, Remipax) 247 24-21šuly (Entacom, Alcapone) બજારમાં ઉપલબ્ધ થઈ છે. વિટામિન ઈ તથા બીજાં કેટલાંક દ્રવ્યો લેવાથી પણ આ રોગની માત્રા કદાચ ઘટે છે એવું કેટલાક માને છે પરંતુ આ બાબતમાં હાલ સર્વસંમતિ નથી. સર્જરી : વિશેષ ચમત્કારિક વાત તો નવી સર્જરીની છે. દાયકાઓ પૂર્વે પાર્કિન્સોનિઝમ સર્જરીની શોધ કરવામાં આવી હતી પરંતુ લિવોડોપા દવાના આવિષ્કારને લીધે રોગમાં ચમત્કારિક ફાયદો થતાં સર્જરીનો યોગ્ય વિકાસ થઈ શક્યો નહિ. લિવોડોપાની દવાની લાંબેગાળે થતી એકધારી આડઅસરો વિશે તબીબોનું ધ્યાન જતાં ફરીથી પાર્કિન્સોનિઝમને લગતી સર્જરીનો વિકાસ છેલ્લા દાયકામાં થયો અને હવે તો તેમાં દિનપ્રતિદિન અનુભવ ઉમેરાતો જવાથી સર્જરી સલામત અને સ્વીકાર્ય થતી જાય છે. સર્જરી કયા કેસમાં ક્યારે કરવી તેમ જ કયા પ્રકારની કરવી તે વાત પણ આજકાલ તબીબી પરિકૃદોનો મહત્ત્વનો મુદો બની રહેલ છે જે આનંદની વાત છે. પાર્કિન્સોનિઝમના કેસમાં ત્રણ પ્રકારની સર્જરી થઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy