________________
કંપવાત (પાર્કિન્સોનિઝમ)
૧૦૯ આ કોષોને નાશ પામતા અટકાવવાની કોઈ ચિકિત્સા કે દવા નથી. તેથી આ રોગને જડમૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી. પરંતુ નિયમિત રીતે દવા, સારવાર કરવાથી તેના ઘણાં લક્ષણો પર મહદ્ અંશે કાબૂ જરૂરથી મેળવી શકાય છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ તથા વ્યાયામ અને યોગ દ્વારા આ રોગમાં રાહત મેળવી શકાય છે. સારવાર
તબીબી ઉપચાર માટેની દવાઓમાં મુખ્યત્વે લિવોડોપા, ડોપામિન એગોનિસ્ટ (રોપીનીરોલ, પ્રેમીપેક્ષોલ, બ્રોમોક્રિષ્ટિન), એન્ટાકૅપોન અને એન્ટિકોલિનજીક દવાઓ (પેસિટેન) વગેરે દવાઓ વપરાય છે. આ પૈકી લિવોડોપા એ મુખ્ય દવા છે, તે મગજમાં ડોપામિન નામનું તત્ત્વ સીધેસીધું દાખલ કરાવી દે છે જે તત્ત્વની કમીને લીધે જ આ રોગ થતો હોય છે. જેટલા પ્રમાણમાં લક્ષણો તેને અનુસાર ડૉક્ટર દવાની માત્રા નક્કી કરી આપતા હોય છે. જરૂર પડ્યે નિષ્ણાત ડૉક્ટરનું માર્ગદર્શન જરૂરી હોય છે, કેમ કે આ દવાની આડઅસર પણ વધુ હોય છે. આ દવા જુદા જુદા પ્રમાણમાં, જુદા જુદા સંયોજનમાં તેમ જ ગોળી, પ્રવાહી અને પમ્પની મદદથી પણ દર્દીને આપી શકાય છે.
ઘણા નિષ્ણાત તબીબો આ દવાને બદલે રોગના પ્રારંભિક તબક્કામાં પેસિટેન, એમેન્ટિડીન, બ્રોમોકિષ્ટિન, પ્રેમીપેક્ષોલ અને ડ્રાઈવાસ્ટાલ વગેરે દવાઓથી ચલાવે છે અને જ્યારે રોગ બીજી કે ત્રીજી અવસ્થામાં (શરીરમાં બંને બાજુ અસરો કરે) હોય ત્યારે જ લિવોડોપા આપતા હોય છે, જેનાથી દર્દી દવાની આડઅસર સિવાય લાંબું જીવી શકે છે. નવા સંશોધન પ્રમાણે સેલિજેલીન (ડોપામીન એગોનીસ્ટ) નામની દવા પણ જો શરૂઆતના તબક્કામાં આપવામાં આવે તો રોગની આગળ વધવાની ગતિ જરૂરથી થોડીક ધીમી પડી શકે.
તબીબી દષ્ટિએ આ રોગ પાંચ અવસ્થાઓ (stages)માં વહેંચાયેલો છે. દા.ત., પ્રથમ તબક્કામાં શરીરની એક જ બાજુ ધ્રુજારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org