SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો આટલું જરૂર જાણો ઘણી વ્યક્તિઓમાં દર થોડા દિવસે અથવા અઠવાડિયે એક બાજુનો માથાનો દુખાવો થાય છે, જે આધાશીશી હોઈ શકે છે. આ દુખાવો કામ કરવાથી વધે છે. ઘણીવાર ઊબકા-ઓડકાર આવવા, ઊલટી થવી, આંખે અંધારા આવવા, પ્રકાશ સહન ન કરી શકવો જેવાં લક્ષણો પણ સાથે જોવા મળે છે. આહાર અને જીવનશૈલીમાં પરિવર્તનના કારણે પણ આધાશીશીનો રોગ થઈ શકે છે. જ્યારે ચેતા શરીરમાં જેટલાં ભાગમાં સંવેદના પહોંચાડે છે, તેટલાં ભાગમાં અમુક પ્રકારનું દર્દ ઉત્પન્ન કરે છે, ત્યારે તેને ન્યૂરાસ્બિયા કહે છે. મગજની પાંચ નંબરની ચેતા જેને ટ્રાઈજેમિનલ કહે છે, તેમાં થતાં આ પ્રકારનાં દર્શને ટ્રાઈજેમિનલ ન્યૂરોલ્કિયા કહે છે. આ પીડા વીજળીના કરંટ જેવી અલ્પ સમય માટે થાય છે, પરંતુ અત્યંત પીડાદાયક હોય છે. માઈગ્રેન-આધાશીશી અને ટ્રાઈજેમિનલ ન્યૂરાજિયાની સંતોષકારક-અસરકારક દવાઓ ઉપલબ્ધ છે. જ્યારે વ્યક્તિને પોતાની આસપાસની વસ્તુઓ ફરતી હોય તેવું લાગે, અથવા વ્યક્તિ પોતાને જ ફરતી મહેસૂસ કરે પોતાનું સંતુલન ન જાળવી શકે, તેને વર્ટિગો કહે છે. શારીરિક મુદ્રામાં બદલાવ, કાનની અંદરના સંતુલનમાં ગરબડ, નાના મગજની બીમારી, મીનીઅર્સ ડિસીઝ, મગજમાં લોહીનું પરિભ્રમણ ઘટી જવું... આ બધાં કારણોથી વર્ટિગો થઈ શકે છે. આહારમાં જરૂરી બદલાવ અને યોગ્ય દવા લેવાથી આ બીમારી મહદઅંશે કાબૂમાં આવી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy