SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મગજમાં રક્તસ્રાવ-બ્રેઈન હેમરેજ બદનસીબી એ વાતની છે. મોટા ભાગના દર્દીઓમાં નિદાન બહુ મોડું થાય છે. સામાન્ય ડૉક્ટરોની જાણકારી પણ આ બાબતમાં ટૂંકી પડે છે. આમાં ન્યુરોલોજી વિશેષજ્ઞની જરૂર પડે છે. ખાસ કરીને વિચિત્ર પ્રકારના માથાના દુઃખાવામાં ન્યુરોલોજીના વિશેષજ્ઞની સલાહ લઈને જો જરૂર જણાય તો એમ.આર.આઈ. બ્રેઈન (MR), એમ.આર.આઈ. વીનોગ્રામ (MR) કરાવી લેવું જોઈએ. મોટા ભાગના કેસોમાં એનાથી નિદાન પકડાતું હોય છે. બીજી બદનસીબી એ છે કે સગર્ભા મહિલાઓને સુવાવડ પછી કે પહેલાં એકથી ચાર અઠવાડિયામાં આ રોગ વધારે થાય છે. નાનાંનાનાં ગામડાંઓમાં અજ્ઞાનતા અને મેડિકલ સુવિધાના અભાવના કારણે મૃત્યુદર પણ વધારે રહે છે. રક્ત જાડું-ઘટ્ટ (Thick) થઈ જવાથી (Hypercoagulable state), uzlzui uisl ezuel (Dehydration etc), શરીરમાં કેન્સરની ઉત્પત્તિ થવાથી તથા લ્યુપસ, હાઈપર હોમોસિસ્ટીનેમિઆ, એન્ટી-ફોસ્ફોલિપિડ સિન્ડ્રોમ વગેરે પ્રકારની રક્તની વિકૃતિઓથી પણ આ રોગ થઈ શકે છે. માથાના દુખાવાને, ખાસ કરીને વધતા જતાં માથાના દુખાવાને, ઊલટી, ખેંચ વગેરેને નજરઅંદાજ ન કરવાં જોઈએ. સગર્ભાવસ્થા દરમિયાન કે તરત પછી આવાં ચિહ્નો કે ખેંચ આવે તો દર્દીને તરત જ સારામાં સારી સુવિધાજનક હોસ્પિટલમાં લઈ જવું જોઈએ. MRI MRS કરાવી લેવું જોઈએ. રક્ત પાતળું કરનારી દવા, (Heparin, wartarin etc), મગજના સોજાની દવા, ખેંચ, માથાના દુખાવાનાં ચિહ્ન દૂર કરનારી દવા વગેરે દ્વારા તાત્કાલિક સારવારથી દર્દી સ્વસ્થ થઈ શકે છે. ક્યારેક Venous Thrombolysis થ્રોમ્બોલિસીસ તથા સર્જરી દ્વારા દર્દીને બચાવી શકાય છે. પણ એન્ટીકોએગ્યુલન્ટ (Warfarin, Acitrom) Eqi nell zzril sal di 244 till dal પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy