________________
૨ * સામાયિક સૂત્રો અને ઉચ્ચાર વિચાર
‘હંતાનં’ એવું અશુદ્ધ બોલવું નહિ. ‘હંતાણં'નો છેલ્લો અક્ષર ‘ણું’ બોલતી વખતે બે હોઠ ભેગા કરવા. જ્યાં જ્યાં શબ્દના છેલ્લા અક્ષર ઉપર અનુસ્વાર આવે ત્યાં ત્યાં સર્વત્ર બે હોઠ ભેગા કરવા. અક્ષરના માથે મુકાતા મીંડાને ‘અનુસ્વાર ' કહેવાય છે. (અરિ-હન્તાણમ્)
૨. સિદ્ધાણં ઃ આમાંના જોડાક્ષર ‘દ્ધા' (વ્ + ધા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે પ્રથમ ‘સિ’ ઉપર ભાર દઈને ‘સિ ્’ બોલ્યા પછી તરત ‘ધાણં’ બોલવું.
જોડાક્ષર (સંયુક્ત વ્યંજન)નો પૂર્વનો અડધો (ખોડો) અક્ષર બોલ્યા પછી, પછીના પૂર્ણ અક્ષરથી બોલવાની શરૂઆત કરાય. આ વાત સામાન્યથી સર્વત્ર સમજી લેવી. (સિ ્-ધાણમ્)
૩. આયરિયાણં : વચમાં અટક્યા વિના આ આખું પદ સાથે જ બોલવું. ‘યાણું’ને બદલે ‘આણં’ એવું અશુદ્ધ બોલવું નહિ.
આ પદમાંનો એકે એક અક્ષર છૂટો ને સ્પષ્ટ બોલવો. ‘આરિયાણું’ એવું અશુદ્ધ ન બોલાઈ જાય એની સાવધાની રાખવી.
૪. ઉવજ્ઝાયાણં : આમાંના જોડાક્ષર ‘જ્ઞા’ (જ્ + ઝા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે ‘વ’ ઉપર ભાર આવે એ રીતે ‘ઉ- વજ્ર' બોલ્યા પછી તરત ‘ઝાયાણં' બોલવું. (ઉ-વજ્ર-ઝાયાણમ્)
‘મઝ' શબ્દમાં રહેલા જોડાક્ષર ‘જ્ડ'માંના ‘જ્' અને ‘ઝ’ બંને તાલવ્ય હોવાથી બંનેનું ઉચ્ચારણ તાળવાની મદદથી થાય છે, પરંતુ પૂર્વના ‘'નું શુદ્ધ ઉચ્ચારણ ઉપરના દાંતના પાછળના ભાગે જીભનો સ્પર્શ થવાથી થાય છે, જ્યારે પછીના ‘ઝ'નું શુદ્ધ ઉચ્ચારણ જીભનો વચ્ચેનો ભાગ ઊંચો થઈને તાળવે ચોંટવાથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org