SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૨૨૪ એમ, બીજાને ઠગવામાં તત્પર હોય, જેમકે ભાઈએ ભાગ વહેંચી લેવામાં બીજા ભાઈને ઠગવો હોય, યા ભાગીદારે વેપારમાં ભાગીદારને ઠગવાની, યા દલાલે કે નોકરે સોદામાંથી ગાવલી ખાવામાં શેઠને ઠગવાની ઈચ્છા હોય, અથવા કબાડીએ કોઈ પણ પ્રવૃત્તિમાં ભોળાને સ્વાર્થથી કે વૈરવિરોધથી ઠગવો હોય, ત્યાં એ માટે એ એવાં માયામૃષાના વચન મનમાં ઘડે, એ મનની ઘરના રૌદ્રધ્યાન થાય છે. એમ, પ્રચ્છન્ન પાપી યાને ગુપ્તપણે પાપ કરનારો કે છૂપા પ્રપંચ રચનારો પણ બહાર પોતાની જાતને સારી નિષ્પાપ નિર્દોષ બતાવવી છે માટે મનમાં ઘડી રાખે કે ‘જરૂર પડયે હું મારી નિર્દોષતા કે સારાપણું બતાવવા આવી રીતે વાત કરીશ..’ આ મનની ચિકણી ઘટનામાં રૌદ્રધ્યાન લાગે. અથવા પ્રચ્છન્ન પાપી એટલે મિથ્યાધર્મી બ્રાહ્મણ વગેરે પોતે ગુણહીન હોવા છતાં પોતાને ગુણવાન તરીકે ઓળખાવે, એ માટે બડફાં હાકવાનું એનું માનસિક દૃઢ પ્રણિધાન એ પણ રૌદ્રધ્યાનરૂપ બને. ત્યારે ગુણહીન પોતાની જાતને ગુણવાન તરીકે ઓળખાવે છે એના કરતાં બીજો વળી ગુપ્ત પાપી કોણ છે ? ઉઘાડો પાપી તો પોતે દોષવાળો હોવાનું છુપાવતો નથી. ત્યારે આ તો માહીં પોલ ને બહાર ગુણનો ઢોલ વગાડે છે, માટે પ્રચ્છન્ન પાપી છે. વળી પાપ છાનાં છપકાં કરવા છે એનું પરિણામ એ કે પોતે ગુણહીન છતાં બીજાની આગળ ગુણિયલમાં ખપવા અને કૃત્રિમ વડાઈ ટકાવવા માટે એ બહાર ચોક્કસ પ્રકારના બોલ બોઁલવાનો, મનમાં એના જે નિષુરભર્યા દૃઢ વિચાર ચાલે એ રૌદ્રધ્યાનમાં જાય. આ બીજો પ્રકાર થયો. ૩. સ્તેયાનુબન્ધી રૌદ્રધ્યાન હવે ત્રીજા પ્રકારનું ‘સ્તેયાનુબંધી’ રૌદ્રધ્યાન વર્ણવે છે. ત્રીજા પ્રકારનું રૌદ્રધ્યાન ચોરીના ક્રૂર ચિંતનમાં થાય છે. ‘બીજાના પૈસા, બીજાનો માલ, બીજાના પત્ની-પુત્રાદિ, બીજાની મિલ્કત-સાધન-સંપત્તિ કેમ ઉપાડું, કેવી રીતે હડપ કરું આવા ક્રૂર ચિંતનમા તન્મય થાય ત્યાં આ રૌદ્રધ્યાન લાગે છે. એના ઉપાયો વિચારે છે, દાવપેચ કપટને વિચારે છે, સામાની કેમ નજર ચૂકવવી, કેમ સામાની આંખમાં ધૂળ નાખવી, વગેરે વગેરેની તન્મય વિચારણામાં ચડે છે. જંગલના લૂંટારા અને શહેરના ચોરો તો આ રૌદ્રધ્યાનમાં ચડે, પણ શાહુકાર ગણાતા ય જ્યારે કૌટુંબિક સગાનું કે ભાગીદાર યા ઘરાક યા વેપારી કે શેઠનું કશું આંચકી લેવાના ક્રૂર ચિંતનમાં ચડે એ પણ રૌદ્રધ્યાનના ભાગી બને છે. રૌદ્રધ્યાન ક્રોધ યા લોભથી :- આ રૌદ્રધ્યાન આવવાનું કારણ તીવ્ર ક્રોધ યા લોભ છે. જીવ જ્યારે કોઈના પર ઉગ્ર ક્રોધથી વ્યાકુળ બને છે, એને એના પર તીવ્ર વેરવિરોધ ઊભો થાય છે, ત્યારે એની લાજ ઉતારવા, અને બતાવી આપવા એનું કશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy