SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાનના સ્વામી ૨૧૯ આમ સમ્યગ્દર્શનવાળા અર્થાત સમ્યગ્દષ્ટિ જીવે અલબત હિંસાદિ પાપોને ત્યાજ્ય ગણ્યા, એ પાપો તરફ આંતરિક અરુચિ-ગ્લાનિ ઊભી કરી, એ એના પ્રથમ કક્ષાના અતિ ઉગ્ર રાગાદિને દબાવ્યા કહેવાય, પરંતુ હજી મનનો એ નિર્ધાર નથી કે ‘મારે થોડી પણ હિંસા-પરિગ્રહાદિ પાપનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ જ છે.' આવી થોડી પણ વિરતિ નથી. એ અવિરતિ, એટલે હિંસાદિને ખરાબ સમજવા છતાં એના થોડા પણ ત્યાગની પ્રતિજ્ઞા કરવાની એનામાં હિંમત નથી. એ સૂચવે છે કે એના તરફ દિલનું ખેંચાણ હજી ઊભું છે, આ એની અવિરતિ સમ્યગ્દષ્ટિ અવસ્થા છે. આમાં હિંસા પરિગ્રહ વિષયો વગેરે કરવા તરફ ખેંચાણ ઊભું હોય, ત્યાંજ સહજ છે કે એના નિમિત્તે આર્તધ્યાન સુલભ હોય. આર્તધ્યાન આ હિંસા પરિગ્રહાદિના ખેંચાણ પરજ રાગ ઉપરજ ઊભું થાય છે, એ અનુભવસિદ્ધ છે. આમ અવિરતિ સમ્યગ્દષ્ટિ પણ આર્તધ્યાનનો સ્વામી કહ્યો. દેશવિરતિ જીવ પણ આર્તધ્યાનનો સ્વામી હોય છે. કેમકે અલબત્ એણે ‘દેશથી’ અર્થાત્ અંશે ‘વિરતિ’ લીધી, દા.ત. ‘હાલતા ચાલતા જીવને હું નહિ મારું.. દુરાચાર મારે ન જ ખપે... લાખ રૂપિયાથી વધુ પરિગ્રહ હું ન જ રાખું.’ આવી અમુક અંશે પ્રતિજ્ઞા કરી વિરતિ લીધી એ દેશવિરતિ કહેવાય. આમાં જેટલા અંશે હિંસાદિ પાપનો ત્યાગ કર્યો એટલા અંશે એનું ખેંચાણ ઓછું કર્યું, રાગ દબાવ્યા, તેથી એ અંગે આર્તધ્યાન નહિ થાય. આર્તધ્યાન કરાવનાર છે રાગ-દ્વેષ. એ જેટલા દબાવ્યા એટલું આર્તધ્યાન અટકે, પરંતુ હજી બાકીની અવિરતિ ઊભી છે. દા.ત. સ્થાવર જીવોની પણ હિંસા મારે ન જ ખપે, એ વિરતિ નથી કરી, એટલે એના રાગાદિ ઊભા છે, માટે એ આર્તધ્યાન કરાવશે. જેટલી હિંસા જેટલો પરીગ્રહ વગેરેના ત્યાગની પ્રતિજ્ઞા ન હોઈને એના ખેંચાણ ઊભાં, એ એટલી હિંસાદિ અપેક્ષાથી મનની ગડમથલ અર્તિચિન્તા ઊભી. માટે દેશવિરતિ શ્રાવક પણ આર્તધ્યાનનો સ્વામી છે. પ્ર૦ - તો પછી આનો અર્થ તો એ, કે સર્વાંશે યાને સંપૂર્ણ વિરતિ લે, તો પછી આર્તધ્યાન ન રહે, તો સર્વવિરતિધર મુનિને પણ આર્તધ્યાનના સ્વામી કેમ કહ્યા ? ઉ∞ - એનું કારણ એમનામાં પ્રમાદ હોય તો એ પણ આર્તધ્યાનને પ્રેરે છે. એટલે જેમ જો મિથ્યાત્વ ટળ્યું, અવિરતિ ગઈ, તો એ આર્તધ્યાનનાં કારણ ઓછાં થયા, પરંતુ જો પ્રમાદ હજી ઊભો છે તો એ આર્તધ્યાનનું કારણ ઊભું છે. કેમકે પ્રમાદ એટલે નિદ્રા-વિકથા-સંશય-ભ્રમ-ધર્મમાં અનુત્સાહ-અનાદર વગેરે, એ થોડા પણ હોય, તો એમાં રાગદ્વેષની પીડા છે ને એ આર્તધ્યાનને અવકાશ આપે. ત્યારે સર્વવિરતિધર મુનિ બે પ્રકારે, (૧) પ્રમાદવાળા પ્રમત્ત, અને (૨) પ્રમાદરહિત અપ્રમત્ત. આમાં પ્રમત્તને નિદ્રાદિ પ્રમાદ છે. એના અંગે ઈષ્ટ સંયોગનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy