SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪) | ધ્યાન અને જીવન કર્મબળ આગળ દેવતાઈ શક્તિ પણ નિરર્થક છે. બળદેવજીએ કૃષગજીને નરકમાંથી ઉઠાવતાં, રસી-ગોળમાંથી રસી ટપકે એમ કૃષગના શરીરમાંથી ટીપાં નીચે ટપકે છે, જેની ભયંકર વેદના થાય છે. કૃષ્ણજી કહે ભાઈ ! આ તો સહન જ નથી થતું. આના કરતાં અહીંની પીડા ઓછી છે. માટે રહેવા મને અહીં જ દો. મૂકી દેવા પડ્યા. કર્મ કઠિન ત્યાં દેવશક્તિ અકિંચિકર બને છે. તીર્થકર ભગવાન પણ જીવોનું મહામિથ્યાત્વ કર્મ દુબળું પડ્યા વિના ઉન્નતિ ન કરાવી શકે. નહિતર તો જો એમજ બળજબરીથી કામ થતું હોય તો તો ભગવાનની સેવામાં અસંખ્ય સમકિતી સુર સુરેંદ્રો છે ત્યારે મનુષ્યો તો ગણતરીના છે, એટલે એકેક મનુષ્ય પાછળ અનેક દેવો ઈંદ્રોંને ઉન્નતિના કામે ન લગાડી દે ? પણ ના, એ મનુષ્યોના બળવાન મિથ્યાત્વકર્મના ઉદયથી એમને ઉન્નતિ સૂઝે જ નહિ, માટે ધર્મ પરાણે નથી પમાડી શકાતો. પ્ર૦- તો પછી કર્મ સામે જીવનું કાંઈ જ ન ચાલે ? ભગવાન કાંઈ ન કરે ? ઉ૦- મહામોહનીય કર્મ નબળું પડ્યું હોય એના પર જ ભગવાનનો ઉપકાર થાય, અને પછી એ જ આત્મા કર્મ સામે લડી શકે, ચારિત્રમોહનીય કર્મને ઢીલું પાડી ચારિત્રનાં કષ્ટ ઉઠાવે. મોહને કચડીને ચારિત્ર લીધું, પછી પણ મોહની છાતી પર ઊભો રહી મોહની સામે લડે તો જે કર્મને કચડી શકે. ચારિત્ર લેવા છતાં ય જે જગતના રાગદ્વેષ કરાવનારા સંયોગોની વચ્ચે લડતો ન રહે, તો તો કર્મ એને કચડી જ નાખે. ભવિતવ્યતા અને કર્મ બળવાન છે. સુભૂમ ચક્રવર્તીના વિમાનને ૧૬૦૦ યમદેવતાઓ ઉપાડનાર છતાં ભવિતવ્યતાએ દેવોને ભુલાવ્યા, દરેકને એક સાથે વિકલ્પમાં ચડાવ્યા કે લાવને હું એકલો ખાંધ ખેંચી લઉં એમાં શું થવાનું છે ?' એમ બધાએ ખાંધ એકી સાથે ખેંચી લીધી. સુભૂમનું પાપ જાગ્યું, કોડોના લશ્કર સાથે વિમાન સમુદ્રના તળિયે ! બધાયનાં કર્મ બળવાન તે ડૂબી મર્યા. ઈશ્વર કર્તા નહિ : ઈતરો કહે છે ઈશ્વરેચ્છા બળવાન છે. ઈશ્વર સર્જનહાર છે. ‘ઈશ્વરઃ કર્તમ અકર્તમ, અન્યથા કહ્યું સમર્થઃ ઈશ્વર સર્જન કરવાને, ફોક કરવાને, અને ફેરફાર કરવાને સમર્થ છે.' પરંતુ પહેલી વાત તો, કે ઈશ્વર પાસે કર્મ જ નહિ, તો કર્મ વિના શરીર પણ ન હોય, અને શરીર નહિ તો સર્જન કરે જ કેવી રીતે ? મુખ વિના તત્ત્વ ઉપદેશ પણ કેમ કરે ? કહેશે “જીવોનાં કર્મથી એ સર્જન કરે ને ?' પરંતુ જો એમ જીવોનાં કર્મ અનુસાર જ થતું હોય તો ઈશ્વરઃ કર્તમ અકર્તમ અન્યથાકતું સમર્થઃ ક્યાં રહેશે? સામર્થ્ય ઈશ્વરનું ક્યાં ? સામર્થ્ય તો કર્મનું થયું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy